1 જુલાઈથી બદલાઈ જશે SBI નિયમ, 42 કરોડ ખાતાધારકો પર અસર થશે
જો તમારું પણ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે, તો પછી આ સમાચાર તમારા માટે ખાસ છે.
જો તમારું પણ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે, તો પછી આ સમાચાર તમારા માટે ખાસ છે. સમાચાર ખાસ એટલા માટે છે કારણ કે 1 જુલાઈથી બેંકના મોટા નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. એસબીઆઇ લોનના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે જે 1 જુલાઈથી અસરકારક રહેશે. તમને જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા એ આરબીઆઇના રેપો રેટ સાથે તેના હોમ લોનના વ્યાજ દરોમાં ફેરફાર કરનાર પ્રથમ બેંક છે.
આ પણ વાંચો: આરબીઆઈ ગ્રાહકોને આપે છે આ વિશેષ અધિકારો, જાણો અને લાભ ઉઠાવો

એસબીઆઈ એકાઉન્ટ ધારકો પર અસર
એસબીઆઇ વતી, એવું કહેવામાં આવ્યું છે કે રેપો રેટથી સંબંધિત હોમ લોન 1 જુલાઈથી આપવામાં આવશે. આનો અર્થ એ કે એસબીઆઇની હોમ લોનનું વ્યાજ દર આગામી મહિનાથી રેપો રેટ પર આધારિત થઇ જશે. એટલે કે, જયારે જયારે આરબીઆઈ રેપો રેટમાં ફેરફાર કરશે તેના આધાર પર એસબીઆઇની હોમ લોનના વ્યાજ દર પણ નક્કી કરવામાં આવશે.

1 જુલાઈથી બેન્કના મોટા નિયમોમાં ફેરફાર
તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ફેરફાર કર્યા પછી પણ, એસબીઆઇ પોતાની રીતે હોમ લોનના વ્યાજના દરો નક્કી કરે છે, પરંતુ 1 જુલાઈથી એવું નહીં થશે. 1 જુલાઇથી બેન્કના રેપો રેટ માં ફેરફાર થયો તો એસબીઆઇની હોમ લોનના વ્યાજદરમાં પણ તે મુજબ ઘટાડો થશે અથવા વધારો થશે. ખાસ વાત એ છે કે આરબીઆઇએ સતત ત્રીજી વખત વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. આરબીઆઇએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઇ એ પ્રથમ બેંક છે, જેણે આરબીઆઈ દ્વારા નક્કી કરાયેલ નીતિના વ્યાજ દરોને સીધી હોમ લોનના દરો સાથે જોડ્યા છે.

વ્યાજદરોમાં ઘટાડો
1 જુલાઇથી સામાન્ય લોકોને ઝાટકો લાગશે. જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા યોજના અથવા રાષ્ટ્રીય બચત યોજનામાં રોકાણ કર્યું છે, તો તેના વ્યાજ દર 1 જુલાઇથી નીચે આવશે. મોદી સરકાર સ્મોલ સેવિંગ યોજના પર વ્યાજદર ઘટાડવા તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં જ સરકારની સૂચનાઓ જારી કરી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
