આગામી બે મહિના દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વનાઃ SBI ચેરમેન
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે કહ્યુ કે આગામી બે મહિના ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વના છે.
દેશની બગડતી અર્થવ્યવસ્થા માટે સતત વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલાવર છે. આ દરમિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે કહ્યુ કે આગામી બે મહિના ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વના છે. હાલમાં જ કેન્દ્ર સરકારે આર્થિક મંદી સામે પહોંચી વળવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે જેમાં ઘણી બેંકોના વિલયનું પણ એલાન કરવામાં આવ્યુ હતુ. સ્ટેટ બેંકના ચેરમેને સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યુ છે.

બેંકોના વિલયનું સમર્થન
રજનીશ કુમારે કહ્યુ કે જો અમે ઑટોમોબાઈલ સેક્ટરની હાલત જોઈએ તો આજે મે મોટર્સના વેચાણના રિપોર્ટ વિશે વાંચ્યુ કે જે ઘણો સારો બિઝનેસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ઑટોમોબાઈલ સેક્ટરમાં ઘણુ બધુ બની રહ્યુ છે. લોકોના દિમાગમાં બદલાતા માહોલ વિશે ઘણુ બધુ ચાલી રહ્યુ છે. તેમણે કહ્યુ કે આગામી બે મહિના ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વના છે. તેમણે કહ્યુ કે પીએસયુ બેંકોને એકીકૃત કરવાનો નિર્ણય 25 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો આવો થવાનુ જ હતુ. જો આને સારી ટીમ સાથે લાગુ કરવામાં આવે તો મંદી સામે ઘણી હદ સુધી પહોંચી વળાય શકાય.
મનમોહન સિંહે સાધ્યુ હતુ નિશાન
આ પહેલા રવિવારે એક વીડિયો જારી કરીને મનમોહન સિંહે કહ્યુ હતુ કે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી ચિંતાજનક છે. છેલ્લા ત્રિમાસિકનો જીડીપી ગ્રોથ 5 ટકા છે જે એ વાતનો ઈશારો કરે છે કે અમે મોટી આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યા છે. જો કે આગામી દિવસે મંગળવારે સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે મનમોહન સિંહના વિશ્લેષણનું અમે સમર્થન નથી કરતા. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે મનમોહન સિંહના સમયે દેશની અર્થવ્યવસ્થા 11માં સ્થાને હતી જ્યારે અમે પાંચમાં સ્થાને પહોંચી ગયા છે.
પાંચ ટકા પર પહોંચી જીડીપી
સરકાર તરફથી શુક્રવારે જે આંકડા જારી કરવામાં આવ્યા છે તેના અનુસાર ભારતની ત્રિમાસિક જીડીપી પાંચ ટકા પર પહોંચી ગઈ છે કે જે ગયા વર્ષે આ ત્રિમાસિકમાં 5.8 ટકા હતુ. મનમોહન સિંહે કહ્યુ કે ગયા ત્રિમાસિકમાં જીડીપી 5 ટકા પહોંચી ગયુ છે કે જે આ વાતને દર્શાવે છે કે દેશમાં ઉંડી આર્થિક મંદી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
