RBI Monetary Policy: આરબીઆઈનો નિર્ણય, રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ
કોરોના વાયરસ સંકટ વચ્ચે આજે(શુક્રવાર) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે આજે(શુક્રવાર) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરીને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન કરીને તેનને 4 ટકા પર રાખ્યો છે. વળી, રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર ચાલુ રાખીને કોઈ પરિવર્તન કર્યુ નથી. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ ગઈ મૌદ્રિક નીતિની ઘોષણા કરીને ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાની ઘોષણા કરી હતી.

આ વખતની આરબીઆઈ એમપીસીની બેઠક 6 ઓક્ટોબરે શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે ગઈ વખતે મે, 2020માં રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે આરબીઆઈએ વ્યાજ દરોમાં 0.40 ટકા(40 બીપીએસ)નો ઘટાડો કર્યો હતો ત્યારબાદ રેપો રેટ ઘટીને 4 ટકા થઈ ગયો હતો. શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે જ્યાં સુધી મુદ્રાસ્ફીતિ લક્ષ્યની અંદર જળવાઈ રહે ત્યાં સુધી મૌદ્રિક નીતિનુ વલણ વિકાસને પુનર્જીવિત કરવા અને જાળવી રાખવા તરફ હોય છે. આ સાથે જ વર્તમાનમાં આ કોરોના વાયરસ મહામારીના પ્રભાવને ઘટાડવા માટે પણ જરૂરી છે.
શક્તિકાંત દાસે આગળ કહ્યુ, 'ભારતીય અર્થવ્યવસ્થાની રિકવરી જોર પકડી રહી છે. ગઈ એમપીસીની બેઠકની તુલામાં તે સારી સ્થિતિમાં છે. આ સમયમાં અર્થવ્યવસ્થાને મહામારીના કહેરથી બચાવવા માટે રિઝર્વ બેંકે સંકટ સામે લડવા માટે 100થી વધુ ઉપાય કર્યા છે. અમે નાણાકીય બજારને ચાલુ રાખવા માટે નવા અને પરંપરાગત ઉપાય કરવામાં સંકોચ નથી કર્યો. આ વખતે અમારી અર્થવ્યવસ્થાના આર્થિક માળખાગત ઢાંચાના લચીલાપણાના કારણે સામાન્ય સમય તરફ વધવાની આશા છે. વિકાસની ગતિ મજબૂત થતી દેખાઈ રહી છે. મુદ્રાસ્ફીતિ ટ્રેજેક્ટરી અનુમાનથી વધુ અનુકૂળ થઈ રહી છે.'
Reserve Bank of India keeps repo rate unchanged at 4%, maintains accommodative stance; reverse repo rate remains unchanged at 3.35% pic.twitter.com/pl7rH35hRl
— ANI (@ANI) October 8, 2021
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
