RBIનો નવો નિયમ, પૈસાની લેવડ-દેવડ માટે આપવો પડશે 20 આંકડાનો LEI નંબર, જાણો શું છે એ
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વિદેશોમાં ફંડની લેવડ માટે LEI નંબર કે Legal Entity Identifier નંબરને અનિવાર્ય કરી દીધો છે.
નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વિદેશોમાં ફંડની લેવડ માટે LEI નંબર કે Legal Entity Identifier નંબરને અનિવાર્ય કરી દીધો છે. આરબીઆઈના નવા નિયમ મુજબ કંપનીઓએ ઓક્ટોબર 2022થી વિદેશોમાં 50 કરોડ રૂપિયા કે વધુ રકમની લેવડ-દેવડ માટે 20 આંકડાનો LEI નંબર આપવો પડશે. વાસ્તવમાં, LEI નંબર નાણાકીય લેવડ-દેવડ કરનાર બંને પક્ષોની ઓળખ સુનિશ્ચિત કરશે. આના કારણે આરબીઆઈએ તેને અનિવાર્ય કરવાની યોજના બનાવી છે. 20 આંકડાના આ એલઈઆઈ નંબર દ્વારા નાણાકીય લેવડ-દેવડ પર નજર રાખી શકાશે અને નાણાકીય આંકડા સાથે જોડાયેલી પ્રણાલિઓની ગુણવત્તા અને તેની ચોક્કસતા સુધારવા માટે ઉપયોગ કરી શકાશે.

શું છે LEI નંબર
આરબીઆઈએ પોતાના સર્ક્યુલરમાં કહ્યુ છે કે ભારત સ્થિત કંપનીઓએ વિદેશોમાંથી 50 કરોડ કે તેનાથી વધુ રકમની લેવડ-દેવડ માટે એક ઓક્ટોબર 2022થી LEI નંબર લેવો પડશે. આરબીઆઈએ ફેમા કાયદો 1999 ની જોગવાઈ હેઠળ આ નિર્ણય લીધો છે. LEIને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે. જો એક વાર LEI નંબર જાહેર કરી દેવામાં આવ્યો તો કંપનીઓ તેને પોતાની બધી લેવડ-દેવડમાં ઉલ્લેખ કરી શકશે. આ નંબરનો ઉલ્લેખ કરવો અનિવાર્ય રહેશે.

20 આંકડાનો નંબર
LEI એક 20 આંકડાનો નંબર છે જેને માન્ય એન્ટિટી ઓળખકર્તા અથવા LEI કહેવાય છે. આ નાણાકીય લેવડ-દેવડ માટે બંને પક્ષોની ઓળખ નક્કી કરવાનો નંબર હોય છે. આ નંબરનો ઉપયોગ કરવા પર લેવડ-દેવડમાં શામેલ પક્ષોની ઓળખ કરવામાં આવી શકાય છે. આ નંબરના ઉપયોગથી દુનિયાભરમાં નાણાકીય લેવડ-દેવડની ગુણવત્તાને જાળવી રાખવામાં મદદ મળે છે.

ક્યાં થશે લાગુ
તમને જણાવી દઈએ કે આરબીઆઈ આને તબક્કાવાર રીતે લાગુ કરી રહ્યુ છે. આને ઓટીસી ડેરિવેટીવ, બિન-ડેરિવેટિવ બજારો, મોટા કૉર્પોરેટ કંપનીઓના ઉધાર લેનાર અને મોટી લેવડ-દેવડમાં શામેલ કરવામાં આવી રહ્યા છે જેથી મોટી લેવડ-દેવડ પર નજર રાખવામાં આવી શકે છે. ઓક્ટોબર 2022 સુધી 50 કરોડ રૂપિયાથી વધુની લેવડ-દેવડને જાહેર કરી શકાશે. કંપનીઓને આ 20 આંકડાનો નંબર જાહેર કરી શકાશે. એક વાર આ નંબર જાહેર થયા બાદ કંપનીઓને પોતાની દરેક લેવડ-દેવડમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
