2000 ની ફાટેલી નોટોનું શું થશે? RBI એ રિફંડ માટે જણાવ્યા આ નિયમો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ફાટેલી નોટોને બદલવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટને બદલવાનો ઇન્કાર કરી શકતી નથી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ફાટેલી નોટોને બદલવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટને બદલવાનો ઇન્કાર કરી શકતી નથી. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં સૂચના આપી દીધી છે. રિઝર્વ બેંકએ પણ નોટ રિફંડ રુલ 2009માં કરેલા આ મહત્વપૂર્ણ ફેરફારોને તાત્કાલિક લાગુ કરવા માટે તમામ બેંકોને સૂચનો જારી કર્યા છે. સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (નોટ રિફંડ) નિયમ 2009 માં સુધારો કરતા કહ્યું કે મહાત્મા ગાંધી(નવી) શૃંખલામાં ફાટેલી નોટને બદલવામાં લોકોની સુવિધા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નિયમો અનુસાર માત્ર 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 રૂપિયાની નોટો બદલવાની જોગવાઈ હતી.

અડધા મૂલ્ય અથવા સંપૂર્ણ મૂલ્ય પર બદલી શકાય છે
નોટની સ્થિતિ પર અડધા મૂલ્ય અથવા સંપૂર્ણ મૂલ્ય પર તેને બદલી શકાય છે. રિઝર્વ બૅન્ક (નોટ રીફંડ) નિયમ 2009 માં સુધારો કરતી વખતે કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે નવી શ્રેણીમાં ફાટેલી નોટને બદલવા માટે લોકોની સુવિધા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
|
નોટની સંપૂર્ણ ચુકવણી માટે આટલું હોવું જરૂરી છે
નવી સિરીઝની નોટો જૂની સિરીઝની સરખામણીમાં નાની છે. રિઝર્વ બેન્કએ જણાવ્યું હતું કે, 50 રૂપિયા અને તેનાથી વધારે મૂલ્યની નોટની બાબતમાં સંપૂર્ણ મૂલ્યની ચુકવણી માટે નોટના ન્યુનતમ ક્ષેત્રની જરૂરતના આધારે પણ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. 50 રૂપિયાથી ઓછી મૂલ્યની ફાટેલી નોટના સંપૂર્ણ મૂલ્યની ચુકવણી ત્યારે જ થશે જયારે નોટના કુલ ક્ષેત્રના ઓછામાં ઓછા 40 ટકા હોય.
|
આરબીઆઇ અધિનિયમની કલમ 28 હેઠળ
જો કે નોટ ફેરફારનો કાયદો આરબીઆઇ અધિનિયમની કલમ 28 હેઠળ આવે છે. આમાં નોટબંધી પહેલાં જે રીતે ફાટેલી અથવા ગંદી નોટોને બદલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. નોટબંધી પછી રિઝર્વ બેંકે અત્યાર સુધી તેમાં કોઈ સુધારા કર્યા નથી. જ્યારે સુધારેલા નિયમોમાં 200 અને 2000 રૂપિયાની નોટ બદલવાની જોગવાઈને જોડી દીધી છે. ઉપરાંત 1000 રૂપિયાની નોટ બદલવા માટેની જોગવાઈ દૂર કરવામાં આવી છે. યાદ અપાવી દઈએ કે 2000 રૂપિયાની નોટો નવેમ્બર 2016 ની નોટબંધી પછી જારી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2017 પછી 200 રૂપિયાની નોટો જારી કરવામાં આવી છે. આ મુદ્દાથી સમગ્ર દેશમાં લોકો મુશ્કેલીમાં છે. કાયદાના અભાવને કારણે બેંકો લોકોની નોટો બદલી શકતી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
