ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે RBI ગવર્નરે કરી આ ઘોષણાઓ
શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતીય અર્થવ્યવસ્થા વિશે ઘણા મોટા એલાન કર્યા.
કોરોના વાયરસના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે. ભારત પણ આનાથી અળગુ નથી. શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતીય અર્થવ્યવસ્થા વિશે ઘણા મોટા એલાન કર્યા. સાથે જ આવનારા સમયમાં ભારત સામે આવનાર પડકારોને પણ જણાવ્યા. ભારતીય અર્થવ્યવસ્થામાં આ વર્ષે મોટી તંગી જોવા મળશે પરંતુ અન્ય દેશોની તુલનામાં આપણી સ્થિતિ સારી રહેશે. આવો જાણીએ આરબીઆઈ ગવર્નરે કરેલી ઘોષણાઓની મોટી વાતો -

1. કોરોનાના કારણે 2020 ગ્લોબલ ઈકોનૉમી માટે સૌથી મોટુ મંદીનુ વર્ષ છે. આના કારણે 2020 દુનિયાના વેપારમાં 13થી 33 ટકાના ઘટાડાનુ અનુમાન છે. જો કે જી20માં ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી રહેશે.
2. ભારતમાં કોરોનાના કારણે એક્સપોર્ટની સ્થિતિ માર્ચમાં ઘણી ખરાબ રહી છે. વળી, માર્ચમાં ઑટોમોબાઈલ પ્રોડક્શન અને સેલ પણ ઘટ્યુ છે. તેમ છતાં દેશમાં વિદેશી મુદ્રાનો પૂરતો ભંડાર છે.
3. RBIના ગવર્નર શક્તિકાંત દાસે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાનુ એલાન કર્યુ.
4. કોરોના વાયરસના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટુ નુકશાન ઉઠાવવુ પડશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ વર્ષ ચોમાસુ સારુ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં અર્થવ્યવસ્થાને મંદીના સમયમાં સહારો મળશે.
5. આરબીઆઈના ગવર્નરના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના કાલે ખતમ થઈ ગયા બાદ દેશની જીડીપી 7 ટકાના દરથી આગળ વધશે. કોરોનાના કારણે 2020માં 1.9 ટકા રહેશે જીડીપીની ગતિ.
6. ભારતમાં 1929 બાદ સૌથી મોટી આર્થિક તંગી આવી છે તેમછતાં કેશમાં કોઈ કમી નહિ આવવા દેવામાં આવે.
7. આર્થિક નુકશાનને ઘટાડવાની કોશિશ ચાલુ છે. 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે. બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરી રહ્યા છે.
8. આ મંદીના સમયમાં પણ બેંક બજારમાં 50 હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરશે.
9. SIDBI ને 15 હજાર કરોડ રૂપિયાની, NHBને 10 હજાર કરોડ રૂપિયાની અને NABARDને 245 હજાર કરોડ રૂપિયાની મદદ.
10. રાજ્ય સરકારો માટે WMA સીમા 60 ટકા વધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
