ખાનગી કંપનીઓ સરકારી તેલ કંપનીઓને તેલ વેચવાનું બંધ કરી શકે

નાણાં મંત્રાલય ઇચ્છે છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો તેમને માર્કેટમાંથી પ્રાપ્ત થતા મૂલ્યની બરાબર હોય. વર્તમાનમાં તેલનો છૂટક વેપાર કરનારી કંપનીઓ માટે તેલનો છૂટક ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રચલિચ વેચાણ કિંમત, તેના પર ભાડું અને 2.5 ટકા આયાત વેરો ઉમેરીને નક્કી કરવામાં આવે છે.
સરકારી વિતરણ કંપનીઓને નિયંત્રિત મૂલ્ય પર વેચાણથી થતી આવકના નુકસાનની ગણતરી આ આયાત મૂલ્યની સમાનતાવાળા મોડલ અંતર્ગત કરવામાં આવે છે. નાણા મંત્રાલય નિકાસમૂલ્ય સમાનતાનું મોડલ અપનાવવામાં આવે એમ ઇચ્છે છે. જેમાં આયાતવેરો અને ભાડાનો હિસ્સો સામેલ નહીં હોય. આ કારણે ઇંધણ સબસિડીનો બોજ ઓછો થશે. આ પ્રસંતાવિત મોડેલથી ખાનગી કંપનીઓની આવક પ્રતિ બેરલ 3થી 4 ડૉલર જેટલા ઘટી જઇ શકે છે.
આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કેખાનગી ક્ષેત્રની રિપાઇનરી કંપનીઓનું માનવું છે કે જો તેમને નિર્યાત મૂલ્ય સમાનતા આધારિત મોડેલ પર તેલ વેચવું પડશે તો તે ઘરેલુ બજારમાં તેલ વેચવાની જગ્યાએ નિર્યાતોન્મુખ એકમ (ઇઓયુ) અથવા વિશેષ નિકાસ ક્ષેત્ર (સેઝ)ની સ્થાપના કરીને વિદેશમાં તેલ વેચશે. આમ કરવાથી તેમને સાત વર્ષ સુધી આવકવેરામાંથી છૂટ મળવાની સાથેશુલ્ક મુક્ત આયાત જેવી છૂટનો લાભ પણ મળશે. આ સિવાય તેમણે ઉત્પાદન મૂલ્ય પણ ચૂકવવું પડશે નહીં.
રિફાનરી કંપનીઓએ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ નિકાસ આધારિત મૂલ્યના હિસાબથી વાહન તથા કુકિંગ ગેસ વેચશે નહીં. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા ભારત પેટ્રોલિયમ પોતાના પંપોમાંથી ડીઝલ વેચે છે જેમાંથી 20 ટકા જથ્થો એસ્સાર અને રિલાયન્સ પૂરો પાડે છે.
બંને કંપનીઓ ગુજરાત રિફાઇનરીઓમાંથી પુરવઠો નહીં મળવાની સ્થિતિમાં જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની પાસે ઘરેલુ માંગ પૂરી કરવા માટે માત્ર આયાતનો વિકલ્પ બાકી રહે છે. ઇંદણની આયાત કરવી એ નુકસાનકારક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
