1 જુલાઇથી બદલાઇ જશે SBIનો લૉકર એગ્રીમેન્ટ, સહી કરશો તો જ મળશે અઢળક લાભ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા એટલે કે એસબીઆઇએ લૉકરને લઇ મોટી પહેલ કરવા જઇ રહી છે. એસબીઆઇ પોતાના લૉકરના નિયમ બદલવા જઈ રહી છે. 30 જૂન બાદ લૉકરના નવા નિયમ લાગૂ થઇ જશે. એવામાં જો તમારી પાસે પણ એસબાઇઈમાં લૉકર હોય તો તરત જ તમારી બેંકની બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ.
દેશની સરકારી બેંકોમાં લૉકર રાખવનારાઓ માટે આરબીઆઈએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખીને હવે બેંકો લૉકર એગ્રીમેન્ટ બદલી રહી છે. બેંકો પોતાના ગ્રાહકો પાસે જલદી જ આ નવા એગ્રીમેન્ટ પર સહી કરાવવા માંગે છે. માટે ગ્રાહકોએ પોતાની લૉકર વાળી બ્રાન્ચનો તરત જ સંપર્ક કરવો જોઈએ.

એસબીઆઇએ લૉકર લેનાર ગ્રાહકોને તુરંત નવા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની અપીલ કરતું એક ટ્વીટ કર્યું છે. જેમાં એસબીઆઇએ કહ્યું, "ડિયર કસ્ટમર, રિવાઇઝ્ડ લૉકર એગ્રીમેન્ટના સેટલમેન્ટ માટે કૃપયા તમારી બ્રાન્ચમાં જાઓ. જો તમે પહેલેથી જ અપડેટેડ એગ્રીમેન્ટ પર સહી કરી ચૂક્યા છો, તો પણ સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટ પર સહી કરવી જરૂરી છે."
જે ગ્રાહક તરત આ નવા એગ્રીમેન્ટ પર સહી કરશે, તેમને તે સમયે જ કેટલાય લાભ મળવા શરૂ થઇ જશે. આરબીઆઇએ આ મામલે પહેલેથી જ જણાવી દીધું છે. નવા એગ્રીમેન્ટ અંતર્ગત જો લૉકરમાં નુકસાન થાય છે, તો બેંકેં વળતર આપવું પડશે. અત્યાર સુધી આવું પ્રાવધાન નહોતું. જો નવા એગ્રીમેન્ટ પર સહી કર્યા બાદ લૉકરમાંથી ચોરી, લૂંટ, બેંકની લાપરવાહી અથવા તેના કર્મચારીઓ તરફથી કોઈપણ પ્રકારની ઘટના બને છે તો બેંક તેની ભરપાઇ કરશે. આ વળતર લૉકરના વાર્ષિક ભાડાના 100 ગણા બરાબર સુધી હશે.
આરબીઆઇએ પણ ગ્રાહકોને 23 જાન્યુઆરી 2024ના રોજ જાહેર સર્ક્યુલર મુજબ પોતાના બેંકોમાં નવા એગ્રીમેન્ટ પર સહી કરી લેવાની અપીલ કરી છે. આરબીઆઇએ બેંકોને 30 જૂન સુધીમાં 50 ટકા ગ્રાહકો પાસેથી નવા એગ્રીમેન્ટ પર સહી કરાવી લેવા જણાવ્યું છે. જે બાદ બાકીના બચેલા ગ્રાહકોમાંથી 75 ટકા ગ્રાહકો પાસેથી 30 સપ્ટેમ્બર સુધીમાં એગ્રીમેન્ટ પર સહી કરાવી લેવી પડશે.
અહીં વધુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, નવા લૉકર એગ્રીમેન્ટ આરબીઆઇના નિર્દેશ પર તૈયાર થયેલ છે. એવામાં જો તમારી પાસે એસબીઆઇ ઉપરાંત અન્ય કોઈપણ બેંકનું લૉકર છે, તો તમારે પણ આ એગ્રીમેન્ટ પર સહી કરવાની થશે. એવામાં લૉકર ધરાવતા ગ્રાહક તરત જ પોતાની બ્રાન્ચનો સંપર્ક કરે તે જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
