Naresh Goyal અને તેમની પત્નીને વિદેશ જતી વખતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા
લૂકઆઉટ નોટિસ જારી થયા પછી વિદેશમાં જવાનો પ્રયાસ કરી રહેલા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા.
લૂકઆઉટ નોટિસ જારી થયા પછી વિદેશમાં જવાનો પ્રયાસ કરી રહેલા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા. માહિતી અનુસાર, તે બંને વિમાનમાં બેસી ગયા હતા અને વિમાન રનવે તરફ જતું હતું, ત્યારે જ વિમાનને પરત આવવા માટે સંકેત આપવામાં આવ્યો હતો, અને પછી બંનેને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. આના કારણે, એમિરેટ્સની ફ્લાઇટ નંબર EK 507 લગભગ 1 કલાક લેટ એટલે કે લગભગ સાંજે 5 વાગ્યા પછી ઉડાન ભરી શકી. આ બાબતે હજુ નરેશ ગોયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ ગોયલ બંધ થઇ ચુકેલી જેટ એરવેઝ વિશે વિમાનન કંપની એતિહાદ અને હિન્દુજા જૂથના એક્ઝિક્યુટિવ્સ સાથે બેઠક કરવા માટે જઈ રહ્યા હતા.

રોકડ કટોકટીને કારણે બંધ થઇ ચૂક્યું છે જેટ એરવેઝે
17 એપ્રિલથી રોકડ કટોકટીને લીધે જેટ એરવેઝ બંધ થઈ ગયું હતું. ભૂતકાળમાં, હિન્દુજા ગ્રૂપે કહ્યું હતું કે તે જેટ એરવેઝમાં રોકાણ કરવાની તકનું મૂલ્યાંકન કરે છે. ગયા મહિને જેટ એરવેઝના અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠન અધ્યક્ષ કિરણ પાવસકરએ મુંબઇ પોલીસ કમિશનરને ચિઠ્ઠી લખીને નરેશ ગોયલ અને અન્ય ડિરેક્ટર્સના પાસપોર્ટને જપ્ત કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. ધ્યાન રહે કે નરેશ ગોયલ અને તેની પત્ની અનિતા ગોયલે માર્ચમાં જ જેટ એરવેઝના મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. નરેશ ગોયલે 26 વર્ષ પહેલાં જેટ એરવેઝ કંપનીની સ્થાપના કરી હતી.
23 હજાર કર્મચારીઓ બેરોજગાર
અસ્થાયી ધોરણે બંધ થઈ ચૂકેલા જેટ એરવેઝના 23,000 કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે. જેટ એરવેઝના કર્મચારીઓ સરકારને તેને ફરીથી શરૂ કરવા માટે સતત અપીલ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
