MUST READ: 31 મે સુધી ખાતામાં રાખો 330 રૂપિયા, સરકાર આપશે 2 લાખનો લાભ
જો તમે પણ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના લીધી છે, તો તમારા માટે એક ખાસ સમાચાર છે. PMJJBY યોજના લેનારા લોકોએ 31 મે સુધી તેમના ખાતામાં 330 રૂપિયા રાખવા જરૂરી છે.
જો તમે પણ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના લીધી છે, તો તમારા માટે એક ખાસ સમાચાર છે. PMJJBY યોજના લેનારા લોકોએ 31 મે સુધી તેમના ખાતામાં 330 રૂપિયા રાખવા જરૂરી છે. જો તમે 31 મી મે સુધી તમારા બેંક ખાતામાં ઓછામાં ઓછા 330 રૂપિયાનું બેલેન્સ રાખ્યું, તો તમે મોદી સરકારની આ મોટી યોજનાનો લાભ લઈ શકશો નહીં. આ યોજના દ્વારા, તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળે છે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી છે કે , 31 મે સુધી તમારા ખાતામાં 330 રૂપિયાનું બેલેન્સ રાખો.

શું છે સ્કીમ
વર્ષ 2015 માં, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ લાભાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળે છે. સરકારની આ યોજનામાં વીમાધારકનું મૃત્યુ થવા પર જ વીમા કંપની પૉલિસીની રકમ ચૂકવે છે. આ ટર્મ પ્લાનમાં પૉલિસી ધારકના મૃત્યુ પર, તેમના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. દર વર્ષે આ યોજનાને રીન્યુ કરાવવી આવશ્યક છે.
આ વીમાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. વીમા કંપની પ્રીમિયમ મે ના છેલ્લા અઠવાડિયામાં અથવા 31 મે સુધી તમારા બેંક એકાઉન્ટમાંથી કાપી લે છે. પૉલિસીધારકોએ પોલિસી આપતી વખતે જ તમારા બેંક ખાતાને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે લિંક કરાવાનું હોય છે. દર વર્ષે આ ખાતામાંથી પ્રીમિયમની રકમ કપાઈ જાય છે. આ પ્રીમિયમની ચુકવણી માટે 330 રૂપિયાની રકમ ચોક્કસપણે એકાઉન્ટમાં હોવી જોઈએ, નહીં તો તમારી પોલિસી રીન્યુ થશે નહીં અને તમે યોજનાનો લાભ લઈ શકશો નહીં. ખાસ બાબત એ છે કે આ નીતિ કોઈપણ તારીખે ખરીદવામાં આવી હોય, પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષ 31 મે સુધી જ હશે.
આ પણ જુઓ: જો મોદી સરકાર નહીં બની તો, શેર બજારમાં કંઈક આવી અસર થશે
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
