LIC: જાણો IPOમાં કોને શેર આપશે અને કોને નહિ
શું તમને આઈપીઓમાં કોટા હેઠળ શેર એલૉટ થશે કે નહિ. જો જાણવા માંગતા હોય તો અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે.
નવી દિલ્લીઃ હવે ફાઈનલ થઈ ગયુ છે કે ભારતીય જીવન વીમા નિગમ(એલઆઈસી)નો આઈપીઓ આવવાનો છે. બધાના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે શેર મળશે કે નહિ. એલઆઈસી આઈપીઓમાં પોતાના દરેક વીમાધારકને શેર લેવાનો મોકો આપવા જઈ રહી છે. પરંતુ જે તમારો વીમો લેપ્સ થઈ ગયો હોય કે તમે તરતમાં વીમો કરાવ્યો હોય તો શું તમને આઈપીઓમાં કોટા હેઠળ શેર એલૉટ થશે કે નહિ. જો જાણવા માંગતા હોય તો અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે. કયા વીમાધારકોને આઈપીઓમાં કોટા હેઠળ શેર અપાશે, કોને કેટલી છૂટ મળશે તે જાણીએ બધુ જ.

એલઆઈસીનો વીમો હોવા પર કેટલા શેર મળવાના ચાન્સ
એલઆઈસીના આઈપીઓની સાઈઝ બહુ મોટી થવાની છે. કંપનીના ઘણા કરોડ શેર જાહેર કરશે. ચર્ચા મુજબપ જો કંપની પોતાના 10 ટકા શેર એલઆઈસી વીમાધારકો માટે પણ અનામત રાખેતે તેમને શેર મળવાના ચાન્સ ઘણા વધી જાય. માહિતી મુજબ એલઆઈસીએ પોતાના ડ્રાફ્ટ દસ્તાવેજમાં જણાવ્યુ છે કે તે આઈપીઓ હેઠળ જાહેર કુલ શેરોના મહત્તમ 10 ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રાખી શકે છે. વળી, વીમાધારકોને કંપની આ શેર અમુક ડિસ્કાઉન્ટ પર આપી શકે છે. જો કે આ ડિસ્કાઉન્ટ કેટલી હશે એનો ખુલાસો આઈપીઓ ખુલ્યા બાદ જ થશે.

લેપ્સ પોલિસીવાલાને શું મળશે એલઆઈસીના આઈપીઓમાં શેર
એલઆઈસીએ પોતાના આઈપીઓના દસ્તાવેજમાં જણાવ્યુ છે કે એવા પોલિસીધારકો જેમની વીમા પોલિસી લેપ્સની અવસ્થામાં છે તે પણ કોટા હેઠળ આવેદન માટે યોગ્ય હશે. ડ્રાફ્ટ દસ્તાવેજ અનુસાર એલઆઈસીના રેકૉર્ડથી જે પૉલિસી મેચ્યોરિટી, સરેન્ડર કે પૉલિસીધારકનુ મૃત્યુના કારણે બહાર નથી થઈ એ બધા વીમાધારકોને પોલિસીધારક માનવામાં આવશે અને તેમને આઈપીઓમાં કોટા હેઠળ આવેદનનો મોકો આપવામાં આવશે.

જો તાત્કાલિક વીમો કરાવ્યો હોય તો મોકો મળશે કે નહિ
જો કોઈ વ્યક્તિ વીમાધારકના કોટામાંથી આવેદન કરવા માટે તાત્કાલિક વીમો ઉતરાવે તો આવા લોકો માટે પણ એલઆઈસીએ પોતાના આઈપીઓના દસ્તાવેજમાં સ્પષ્ટતા કરી છે. જે મુજબ જે વીમાધારકે પોલિસી માટે આવેદન કર્યુ છે પરંતુ તેને હજુ પોલિસીના દસ્તાવેજ મળ્યા નથી એ સ્થિતિમાં પ્રોસ્પેક્ટસમાં કહેવામાં આવ્યુ છે કે પોલિસી આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર દાખલ થવાની તારીખે કે એ પહેલા જાહેર થયેલી હોવી જોઈએ। ડીઆરએચપી અનુસાર વીમાધારક કોટા હેઠળ આવેદન માટે એ જરુરી છે કે પૉલિસી ડ્રાફ્ટ પેપર દાખલ થવાની તારીખે કે એ પહેલા જાહેર થયેલુ હોવુ જોઈએ. સાથે જ એ તારીખ સુધી પૉલિસી સરેન્ડર કે મેચ્યોર ન હોવી જોઈએ.

શું એલઆઈસી વીમાધારકો માટે ડીમેટની અનિવાર્યતા રહેશે
જે પણ રોકાણકારો એલઆઈલીના આઈપીઓમાં વીમા કોટા હેઠળ આવેદન કરવા માંગતા હોય તેમની પાસે ડિમેટ ખાતુ હોવુ જરુરી છે. સેબીના નિયમો મુજબ કોઈ પણ કંપની તરફથી ફિઝિકલ રીતે શેર જાહેર કરી શકાય નહિ. ડિમેટ અકાઉન્ટ વિના લોકો એલઆઈસીના આઈપીઓમાં આવેદન નહિ કરી શકે.

જોઈન્ટ પૉલિસીધારકો માટે શું હશે નિયમ
જો કોઈ વ્યક્તિએ જોઈન્ટ નામથી વીમા પૉલિસી લીધી હોય તો એ લોકો પણ એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરી શકશે. પરંતુ આ સ્થિતિમાં માત્ર એક વ્યક્તિ જ કોટા હેઠળ આવેદન કરી શકશે. આ સ્થિતિમાં વીમા પોલિસીમાં બંનેનુ પેન અપડેટ હોવુ જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
