સ્ટોક માર્કેટમાં રોકાણ કે હાથ પર રોકડ શું છે બેસ્ટ ઓપ્શન?
સામાન્ય રીતે લોકો શેરમાર્કેટમાં રોકાણ કરી રાતો રાત અબજોપતિ બનવાના સપનાં જોતા હોય છે. વાત સાચી પણ છે. જેને શેર માર્કેટની ચાલ અનુકૂળ આવી જાય તેના માટે શેરબજાર ધનકુબેરનો ભંડાર ખોલી આપે છે. જો કે જેને અનુકૂળ ના આવે તેના ભંડાર તળિયા ઝાટક પણ કરી નાખે છે. આવા સમયે એક સામાન્ય પ્રશ્ન ઉદભવે કે શેરમાર્કેટમાં નાણા રોકવા સારા કે હાથ પર રોકડ રાખવી વધારે સારી?
શેરમાર્કેટનો ધંધો જોખમી છતાં લાભદાયી માનવામાં આવે છે. જ્યારે હાથ પર રોકડ બિનઉપજાઉ રોકડ છે. વર્તમાન સમયમાં માર્કેટમાં જે રીતે અપડાઉન થઇ રહ્યું છે તે જોતા અનેક લોકો એવું માને છે કે માર્કેટમાં નાણા રોકવાનું જોખમ કરવાને બદલે સેવિંગ બેંક એકાઉન્ટમાં નાણા રાખવા વધારે સારા. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે તમારા હાથમાં રહેલા નાણા તમને ફાયદો કરાવી ના આપે તો તેનો કોઇ ફાયદો રહેતો નથી.
આવા સમયે એક્સપર્ટ આપણને યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે. આ મુદ્દે એક્સપર્ટ્સનું શું માનવું છે તે આવો જાણીએ...

હાથમાં રોકડનો ફાયદો
જ્યારે માર્કેટમાં મંદીની ચાલ હોય ત્યારે આપણને સ્વાભાવિક રીતે લાગે કે હાથમાં રોકડ છે એટલે સારું છે. નહીંતર માર્કેટની મંદીમાં આપણા નાણાનું ધોવાણ થઇ જાય. આ ઉપરાંત હાથમાં કેશ હોય તો ગમે તે સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે સ્ટોક માર્કેટમાં તમે રોકાણ કર્યું હોય તો તેનો તાત્કાલિક ઉપયોગ કરી શકાતો નથી. બેંકના સેવિંગ એકાઉન્ટમાં રોકડ હોય તો તેના પર નિષ્ચિત પ્રમાણમાં લાભ કે ગેરન્ટીડ રિટર્ન્સ મળે છે.

હાથમાં રોકડનો ગેરફાયદો
સિક્કાની બીજી બાજુ જોઇએ તો ફુગાવાની અસર તમારા બેંકમાં રહેલા નાણા પર પડે છે. જેના કારણે વ્યાજમાં વધઘટ થવાથી તમારા ફાયદામાં વધઘટ થઇ શકે છે. બીજી બાબત એ પણ છે કે બેંકમાં સેવિંગ ખાતામાં કે ફિક્સ્ ડિપોઝિટમાં તમારા નાણા મુકવાથી તમે સુરક્ષિત થઇ ગયા તેવું કહેવું યોગ્ય નથી. કારણ કે ફુગાવો વધતા બેંકનું વ્યાજ ઘટી શકે ઉપરાંત ટેક્સ અને બેંકના ચાર્જ વધવાથી પણ તેમાં ઘટાડો થાય છે.

મુંઝવણનો ઉકેલ
બંને બાબતોને ચકાસીને નિર્ણય પર આવવું જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો તમે ટૂંકા ગાળા માટે ફાયદો મેળવવા માંગતો હોવ તો બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરીને ફાયદો મેળવી શકાય છે. તે બેસ્ટ વિકલ્પ છે. પણ જો તમે લાંબા ગાળા માટે ફાયદો મેળવવાનું વિચારતા હોવ તો શેરમાર્કેટમાં છેલ્લા 10 વર્ષના વલણનો અભ્યાસ કરીને તેમાં યોગ્ય સ્ક્રીપ્ટમાં રોકાણ કરવું ફાયદાકારક છે.

લાગણીમુક્ત બની નિર્ણય કરો
એક્સપર્ટનું માનવું છે કે તમારા કોઇ પણ નાણાકીય રોકાણ અંગેના નિર્ણયો તમારા સંબંધોને સાચવવા કે લાગણીઓમાં વહીને લેવા જોઇએ નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
