ભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધુ દરે વધશે : ચિદમ્બરમ

વૉશિંગ્ટનમાં એક સંમેલનમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે આ માટેના કારણોમાં આ વર્ષે થયેલા સારા વરસાદ અને પાછલા નાણાકીય વર્ષમાં યુપીએ સરકારે કરેલા વિવિધ આર્થિક સુધારોને તેનું શ્રેય આપ્યું હતું. ચિદમ્બરમે જણાવ્યું કે સારા વરસાદને કારણે આગામી સમયમાં સારા કૃષિ ઉત્પાદનની અને તેમાં વૃદ્ધિની આશા છે.
ચિદમ્બરમે કાર્નેજી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે આ પગલું વર્તમાન નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં પોતાની અસર દેખાડવાનું શરૂ કરશે. આ કારણે મારું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધારેના વૃદ્ધિદરથી વધશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે વર્ષ 2013-14માં આર્થિક વૃદ્ધિદર 5.5 ટકા રહી શકે છે.












Click it and Unblock the Notifications
