Income Tax Return : ઓછી આવકવાળા પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો, થશે આ લાભ
જો તમે હજૂ સુધી ITR ભર્યું નથી, તો તરત જ ભરો. નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક છે. જો તમે હજૂ સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ભર્યું નથી, તો જલ્દી ભરો.
Income Tax Return : જો તમે હજૂ સુધી ITR ભર્યું નથી, તો તરત જ ભરો. નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક છે. જો તમે હજૂ સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ભર્યું નથી, તો જલ્દી ભરો. કોઈપણ વ્યક્તિ કે જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે, અને જે વાર્ષિક રૂપિયા 2.5 લાખ કમાય છે, તેને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ જેની કુલ આવક કર મુક્તિ મર્યાદા કરતાં વધી જાય, તેમણે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે.
દરેક વ્યક્તિ જાણે છે કે, 60 વર્ષથી વધુ અને 80 વર્ષથી નીચેના વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ મર્યાદા રૂપિયા 3 લાખ છે, જ્યારે સુપર વરિષ્ઠ નાગરિકો માટે એટલે કે 80 વર્ષથી વધુ વયના લોકો માટે આ મર્યાદા રૂપિયા 5 લાખ છે. જો તમારો પગાર આવકવેરાની મર્યાદા કરતા ઓછો હોય, તો પણ તમારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે તેના ઘણા ફાયદા છે.

1. લોન પાત્રતા નક્કી કરવામાં આવે છે
જો તમે લોન લેવા જઈ રહ્યા છો, તો બેંક તમારી યોગ્યતા તપાસે છે, જે આવક પર આધારિત છે. બેંક તમને કેટલી લોન આપશે, તે તમારી આવક પર નિર્ભર કરે છે કે,તમે આવકવેરા રિટર્નમાં ફાઇલ કર્યું છે. વાસ્તવમાં ITR એક એવો દસ્તાવેજ છે જેનો ઉપયોગ બધી બેંકો લોનની સરળ પ્રક્રિયા માટે કરે છે.
સામાન્ય રીતે બેંક લોનપ્રક્રિયા દરમિયાન તેમના ગ્રાહકો પાસેથી 3 ITR માંગે છે. તેથી, જો તમે હોમ લોન લઈને ઘર લેવા માંગો છો, અથવા કાર લોન લેવા માંગો છો અથવા પર્સનલ લોનલેવા માંગો છો, તો ITR ફાઇલ કરવી આવશ્યક છે. કારણ કે, તે લોન મેળવવાનું સરળ બનાવે છે.

2. ટેક્સ રિફંડ માટે જરૂરી
જો તમે ITR ફાઇલ કરો છો, તો તમે ટર્મ ડિપોઝિટ જેવી બચત યોજનાઓ પર મેળવેલા વ્યાજ પર ટેક્સ બચાવી શકો છો. ડિવિડન્ડની આવક પર પણ ટેક્સ બચાવીશકાય છે. તમે ITR રિફંડ દ્વારા ટેક્સનો દાવો કરી શકો છો, જો આવકના બહુવિધ સ્ત્રોતોમાંથી કુલ આવક રૂપિયા 2.5 લાખથી વધુ હોય, તો તમે કાપેલા TDSનોફરીથી દાવો કરી શકો છો.

3. સરનામા માટે માન્ય દસ્તાવેજ, આવકનો પુરાવો
આવકવેરા આકારણી ઓર્ડરનો ઉપયોગ માન્ય સરનામાના પુરાવા તરીકે થઈ શકે છે. તેનો ઉપયોગ આધાર કાર્ડ બનાવવા માટે પણ કરી શકાય છે. કંપની દ્વારાકર્મચારીઓને ફોર્મ 16 આપવામાં આવે છે. જે તેની આવકનો પુરાવો છે. સ્વ-રોજગાર અથવા ફ્રી લાન્સર્સ માટે પણ ITR ફાઇલિંગ દસ્તાવેજ માન્ય આવકના પુરાવાતરીકે કાર્ય કરે છે.

4. નુકસાનનો દાવો કરી શકે છે
કોઈપણ નુકસાનનો દાવો કરવા માટે કરદાતાએ નિર્ધારિત તારીખની અંદર આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ નુકસાન મૂડી લાભ, વ્યવસાય અથવાવ્યવસાયના સ્વરૂપમાં હોય શકે છે.
આવકવેરાના નિયમો સંબંધિત મૂલ્યાંકન વર્ષમાં ITR ફાઇલ કરનારાઓને મૂડી લાભ સામે નુકસાનને આગળ ધપાવવાની મંજૂરીઆપે છે.

5. વિઝા પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો
જો તમે ક્યાંક વિદેશ જઈ રહ્યા છો, તો મોટાભાગના દેશો ITRની માંગ કરે છે. આ બતાવે છે કે વ્યક્તિ ટેક્સ સુસંગત નાગરિક છે. આનાથી વિઝા પ્રોસેસિંગઅધિકારીઓને તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિ અને આવકનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. આ તમારા માટે વિઝા મેળવવાનું સરળ બનાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
