ઈન્કમ ટેક્સઃ કામનો ભાર વધ્યો તો નોકરી છોડી રહ્યા છે અધિકારીઓ
ઈન્કમ ટેક્સઃ કામનો ભાર વધ્યો તો નોકરી છોડી રહ્યા છે અધિકારીઓ
કામના વધુ ભાર અને ટેક્સ કલેક્શનના ઉંચા ટાર્ગેટને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 2 ડઝન આવકવેરા અધિકારીઓ નોકરી છોડી ચૂક્યા છે. આવક વેરા વિભાગના ગેઝેટેડ ઓફિસર એસોસિયેશનના ઉપાધ્યક્ષ ભાસ્કર ભટ્ટાચાર્યએ IANSને જણાવ્યું,'અમારા વિભાગની સ્થિતિ ખરાબ છે. અહીં કામનું ભારણ ખૂબ જ છે. આ નાણાકીય વર્ષમાં 22થી 23 અધિકારીઓ નોકરી છોડી ચૂક્યા છે.'

કામનું ભારણ વધ્યું
ભટ્ટાચાર્યએ કહ્યુંકે પાછલા કેટલાક વર્ષમાં કામનું દબાણ વધ્યું છે. ITGOAમાં દેશભરમાં 9,500થી વધુ સરકારી અધિકારીઓ સામેલ છે. આવકવેરા વિભાગે અત્યાર સુધઈમાં 5 લાખ કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ જ વસુલ્યો છે, 2020માં નાણાકીય વર્ષમાં 13.35 લાખ કરોડ રૂપિયાના મૂળ ટાર્ગેટના અડધા કરતા પણ ઓછો છે. આ જ કારણે અધિકારીઓ પર વધુ ટેક્સ વસુલવાનું દબાણ છે.

તો સરાકર પણ જબરજસ્તી કરી રહી છે રિટાયર
એક તરફ આવક વેરા વિભાગના અધિકારીઓ કામના ભારથી નોકરી છોડી રહ્યા છે, તો બીજી તરફ મોદી સરકારે પણ ટેક્સ વિભાગના કેટલાક અધિકારીઓને જબરજસ્તી રિટાયર કરી દીધા છે. તાજેતરમાં જ ઈન્ડિયન રેવન્યુ સર્વિસના 18 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે. જે અધિકારીઓને જબરજસ્તી રિટાયર કરાયા છે, તેમાં પ્રિન્સિપલ કમિશનર ડૉ. અનૂપ શ્રીવાસ્તવ, કમિશનર અતુલ દીક્ષિત, કમિશનર સંસાર ચંદ, કમિશનર હર્ષા, કમિશનર વિનય વ્રજ સિંહ, એડિશનલ કમિશનર અશોક મહિદા, એડિશનલ કમિશનર વીરેન્દ્ર અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર અમરીશ જૈન, જોઈન્ટ કમિશનર નલીનકુમાર, આસિસ્ટન્ટ કમિશનર એસએસ પાબ્ના, આસિસ્ટન્ટ કમિશનર એસ. એસ. બિષ્ટ, આસિસ્ટન્ટ કમિશનર વિનોદ સાંગા, એડિશનલ કમિશનર રાજુ સેકર, ડેપ્યુટી કમિશનર અશોકકુમાર અસવાલ અને આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મદ ઉલ્તાફનો સમાવેશ થાય છે.

શું છે નિયમ 56?
કલમ 56નો ઉપયોગ એવા અધિકારીઓ પર થાય છે, જે 50થી 55 વર્ષની ઉંમરના હોય અને 30 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો હોય. સરકાર આવા અધિકારીઓને જબરજસ્તી રિટાયર કરી શકે છે. આવું કરવા પાછળ સરકારનો ઈરાદો નૉન ફોર્મિંગ સરકારી અધિકારીઓને રિટાયર કરવાનો હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
