વર્ષ 2017-18માં GDP રહી શકે છે 6.5ના દરે, મોદી સરકારને ફટકો
મોદી સરકાર માટે આવનારા નાણાંકીય વર્ષ માટે છે આકારો પડાવ. જીડીપી 6.7થી વધુ વધી ના શકવાના કારણે સર્જાઇ છે આ સમસ્યા. વધુ વાંચો અહીં.
આર્થિક મોર્ચે કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નાણાંકીય વર્ષ 2017-18 માટે સરકારી અનુમાન મુજબ ભારતની જીડીપી ઘટીને 6.5 ટકા રહેવાનું અનુમાન છે. ગત વર્ષની સાથે આ દરની તુલના કરીએ તો 2016-17માં ભારતનો જીડીપી દર 7.1 ટકા હતો. સરકારની તરફથી નાણાંકીય અનુમાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે શુક્રવારે જાહેર કર્યું હતું. તમને જણાવી દઇએ ક 2017-18ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં જીડીપી, વિકાસ દરના સૌથી નીચા સ્તર 5.7 ટકા પર જતું રહ્યું હતું. વિપક્ષે આ મામલે નોટબંધી અને જીએસટીને કારણભૂત જણાવ્યું હતું. જ્યારે બીજા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા થોડા સુધારામાં જોવા મળી હતી. અને જીડીપી 6.3 ટકા પર જોવા મળી હતી. આ પહેલા આરબીઆઇ એ પણ જીડીપી દરના અનુમાનને ઘટાડીને 6.7 ટકા પર જવાની વાત કરી હતી.

Recommended Video
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ પહેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વર્ષે જીડીપી દરને 7 ટકાથી ઉપર લઇ જવો લગભગ અશક્ય છે. નોંધનીય છે કે હાલમાં જ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસને મોદી સરકારના દબાવમાં જીડીપીના ખોટા આંકડા રજૂ કરવા પડી રહ્યા છે. સ્વામીએ ચાર્ટર એકાઉન્ટટની એક સભામાં કહ્યું હતું કે તમે જીડીપીના ત્રિમાસિકના આંકડા પર ના જુઓ. કારણ કે તે બકવાસ છે. હું તમને આમ એટલા માટે કહું છું કારણ કે મારા પિતાએ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇજેશન બનાવ્યું હતું. હું સીઇઓ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા સાથે જતો હતો ત્યારે સીઇઓએ એક વ્યક્તિને કહ્યું હતું કે નોટબંધી પછી તેમની પર સારા નંબર બતાવા માટે દબાવ નાંખવામાં આવે છે.માટે જ તેમણે જીડીપીનો તેવો આંકડો આપ્યો છે જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને કોઇ અસર ના પડે.
વિશ્વ અને ભારત
જો કે બીજી તરફ તે વાતને પણ નજર અંદાજ કરાય તેમ નથી કે દુનિયાને હજી પણ ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ છે. જીડીપીના દર ઉપર નીચે જતા રહેતા હોવા છતાં આંતરાષ્ટ્રીય રેટિંગ એજન્સી, ફિચના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત આવનારા 5 વર્ષમાં ચીનની અર્થવ્યવસ્થાને પછાડી શકે છે. અને દુનિયાની સૌથી વધુ વિકાસ દર વળી અર્થવ્યવસ્થા બની શકે છે. ફિચે જણાવ્યું કે ચીનની જીડીપી જ્યાં ઓછી થઇને 5.5 રહી ગઇ છે ત્યાં ભારતની જીડીપી 6.7 દરે વિકાસ બતાવી રહી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
