અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આવકવેરામાં ઘટાડો અને ખર્ચમાં વધારો કરી શકે સરકાર
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આવકવેરામાં ઘટાડો અને ખર્ચમાં વધારો કરી શકે સરકાર
ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થયા બાદ સ્થાનિક રોકાણકારો આવકવેરા દરના મોરચે રાહતની અપેક્ષા કરી શકે છે તેમ નિષ્ણાંતોનું કહેવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 2020-21ના બજેટમાં વ્યક્તિગત આવકવેરાના મોરચે થોડી રાહત આપી શકે છે. વળી સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખર્ચ વધારવાની અપેક્ષા રાખે છે. સરકારી સૂત્રો અને અર્થશાસ્ત્રીઓના મતે ગ્રાહકોની માંગ અને રોકાણ વધારવા માટે સરકાર આ નિર્ણયો લઈ શકે છે.
ભારતીય અર્થવ્યવસ્થા એક દાયકાના તેના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિએ જીડીપી વૃદ્ધિદર ઘટાડીને 4.5 ટકા કર્યો છે. તેનાથી કરોડો યુવાનોની નોકરીઓ અસર પડી છે.
સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે તો બીજી તરફ આરબીઆઇએ પણ રેપો રેટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. તેમ છતા દેશમાં રોકાણને જરૂરી વેગ મળ્યો નથી. અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારો કહે છે કે, આગામી બજેટમાં વપરાશને પ્રોત્સાહિત કરવાના પગલાઓ સાથે માર્ગ, રેલવે અને ગામડાની સુધારણા યોજનાઓ પરનો વધારાનો ખર્ચ આર્થિક વિકાસને પાટા પર લાવવામાં મદદ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

વૃદ્ધિને બૂસ્ટ મળશે
સિંગાપુરમાં કેપિટલ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રી શિલાન શાહે કહ્યું કે કમજોર અર્થવ્યવસ્થા અને સરકાર વિરોધી પ્રદર્શનોને કારણે જ પ્રોત્સાહન વાળા પગલાની સંભાવના વધી ગઈ છે. વધુમાં તેમણે એ નોંધમાં કહ્યું કે આ ઉપાયોથી આગામી ક્વાર્ટરમાં વૃદ્ધિને પણ થોડો બૂસ્ટ મળશે.

આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટ્યો
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 4.8 ટકા કર્યો છે. આ સાથે આગામી નાણાકીય વર્ષનો જીડીપી વૃદ્ધિનો અંદાજ પણ ઘટાડીને 5.8 ટકા કરી દેવામાં આવ્યો હતો.

રાહતની અપેક્ષા
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય ખાધના લક્ષ્યાંકને ઘટાડવાના અગાઉના લક્ષ્યાંકને ઓછામાં ઓછા બે વર્ષ માટે સ્થગિત કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થયા બાદ ઘરેલું રોકાણકારો આવકવેરા દરના મોરચે રાહતની અપેક્ષા રાખી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
