બજેટ 2014 : પોસ્ટ ઓફિસની 4 બેસ્ટ બચત યોજનાઓ
એનડીએ સરકારના નાણા પ્રધાન અરૂણ જેટલીએ દેશમાં બચતને પ્રોત્સાહિત કરવા માટે અનેક બચત સાધનોને આકર્ષક બનાવ્યા છે. જેથી લોકો વધારે રોકાણ કરે અને માર્કેટમાં વધારે નાણાની પ્રવાહિતા વધે. આ માટે લીધેલા વિવિધ પગલાંઓમાં કલમ 80C હેઠળ રોકાણની મર્યાદા વધારી આપી છે.
આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં ચાલતી નાની બચત યોજનાઓમાં પણ અનેક વિકલ્પો આપ્યા છે. જેના કારણે પોસ્ટ ઓફિસમાં બચત કરવી વધારે આકર્ષક બની છે. અહીં અમે આપને બજેટ 2014ને કારણે આકર્ષક બનાવી છે. આવો જાણીએ સરકારે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ માટે શું જાહેરાત કરી છે...

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હવે ઇન્શ્યોરન્સ કવર સાથે ઉપલબ્ધ બનશે. જેનો સીધો ફાયદો નાના રોકાણકારોને મળશે.જો કે આ અંગે હજી વધારે વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. અહીં એક બાબત યાદ રાખવા જેવી એ છે કે એનએસસી કલમ 80C હેઠળ ટેક્સ બેનિફિટ પૂરો પાડે છે. હવે તેમાં વીમો પણ જોડાતા બમણો ફાયજો મળશે.

આપના નાણા થશે બમણાં
અતિ લોકપ્રિય બનેલા કિસાન વિકાસ પત્રો (કેવીપી - KVP) , જે વર્ષ 2011માં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, તેમને ફરી રજૂ કરવામાં આવ્યા છે. કેવીપી પાછું ખેંચાયું એ પહેલા આઠ વર્ષ અને સાત મહિનામાં આપના નાણા બમણાં કરી આપતા હતા. જો કે હવે જોવાનું રહેશે કે સરકાર હવે કેટલો વ્યાજદર તેમાં આપશે એ જોવાનું રહેશે. આ પણ સારું ટેક્સ બચત સાધન છે. જેને સરકારી પીઠબળ પ્રાપ્ત છે.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડની મર્યાદા વધારી
સરકારે બજેટમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં રોકાણ કરવાની મહત્તમ વાર્ષિક મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને દોઢ લાખ કરવાની જાહેરાત કરી છે. તેમાં પણ કલમ 80C હેઠળ કરલાભ મળે છે. વળી તેના પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે.

પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓમાં ટેક્સ લાભ
સરકારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી મોટ ભાગની નાની બચત યોજનાઓમાં કલમ 80C હેઠળ રોકાણ મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને રૂપિયા દોઢ લાખ કરી છે. આ યોજનાઓમાં એનએસસી, પીપીએફ અને કેવીપીનો સમાવેશ થાય છે. આ કારણે બચત માટે રોકાણ કરનારાઓ માટે પોસ્ટ ઓફિસમાં બચત શ્રેષ્ઠ વિકલ્પ છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હવે ઇન્શ્યોરન્સ કવર સાથે ઉપલબ્ધ બનશે. જેનો સીધો ફાયદો નાના રોકાણકારોને મળશે.જો કે આ અંગે હજી વધારે વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. અહીં એક બાબત યાદ રાખવા જેવી એ છે કે એનએસસી કલમ 80C હેઠળ ટેક્સ બેનિફિટ પૂરો પાડે છે. હવે તેમાં વીમો પણ જોડાતા બમણો ફાયજો મળશે.
આપના નાણા થશે બમણાં
અતિ લોકપ્રિય બનેલા કિસાન વિકાસ પત્રો (કેવીપી - KVP) , જે વર્ષ 2011માં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, તેમને ફરી રજૂ કરવામાં આવ્યા છે. કેવીપી પાછું ખેંચાયું એ પહેલા આઠ વર્ષ અને સાત મહિનામાં આપના નાણા બમણાં કરી આપતા હતા. જો કે હવે જોવાનું રહેશે કે સરકાર હવે કેટલો વ્યાજદર તેમાં આપશે એ જોવાનું રહેશે. આ પણ સારું ટેક્સ બચત સાધન છે. જેને સરકારી પીઠબળ પ્રાપ્ત છે.
પબ્લિક પ્રોવિડન્ડ ફંડની મર્યાદા વધારી
સરકારે બજેટમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં રોકાણ કરવાની મહત્તમ વાર્ષિક મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને દોઢ લાખ કરવાની જાહેરાત કરી છે. તેમાં પણ કલમ 80C હેઠળ કરલાભ મળે છે. વળી તેના પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે.
પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓમાં ટેક્સ લાભ
સરકારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી મોટ ભાગની નાની બચત યોજનાઓમાં કલમ 80C હેઠળ રોકાણ મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને રૂપિયા દોઢ લાખ કરી છે. આ યોજનાઓમાં એનએસસી, પીપીએફ અને કેવીપીનો સમાવેશ થાય છે. આ કારણે બચત માટે રોકાણ કરનારાઓ માટે પોસ્ટ ઓફિસમાં બચત શ્રેષ્ઠ વિકલ્પ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
