1લી સપ્ટેમ્બરથી બેંકિંગના આ નિયમો બદલાઈ ગયા, અત્યારે જ જાણી લો
1લી સપ્ટેમ્બરથી બેંકિંગના આ નિયમો બદલાઈ ગયા, અત્યારે જ જાણી લો
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. નવા મહિનાની શરૂઆતની સાથે જ તમારી આસપાસના કેટલાય નિયમો બદલાઈ ગયા છે. 1 સપ્ટેમ્બરથી બેંકો સાથે જોડાયેલા નિયમો પણ બદલાઈ ગયા છે. તમારા બેંક ખાતા, ચેક પેમેન્ટ સહિત કેટલાય નિયમોમાં બદલાવ થઈ ચૂક્યો છે. બેંકિંગ નિયમો ઉપરાંત પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમ, એલપીજીના ભાવ, ડ્રાઈવિંગ, ઈન્સ્યોરન્સ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ થઈ ગયો છે. અમે તમને એવા બદલાવો વિશે જણાવી રહ્યા છીએ જે તમારા બેંક ખાતાં સાથે જોડાયેલા છે.

ચેક પેમેન્ટનો નવો નિયમ લાગૂ
1 સપ્ટેમ્બરથી મોટાભાગની બેંકો પોઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના નિર્દેશ પર બેંકોએ આ ફેસલો લીધો છે. એક્સિસ બેંક તરફતી ખાતાધારકોને ઈમેલ, એસએમએસ દ્વારા આ જાણકારી આપવામાં આવી રહી છે. ખાતાધારકોને નવા નિયમ વિશે જાણકારી આપવામાં આવી રહી છે. 1 સપ્ટેમ્બરથી ચેક જાહેર કરતા પહેલાં ખાતાધારકોને આ અંગેની પૂરી ડિટેલ્સ બેંકમાં પહેલેથી આપવી પડશે. જો તમે ચેકની પૂરી જાણકારી પહેલેથી બેંકને નહીં આપો તો બેંક તમારે ચેક કેંસલ કરી શકે છે. RBIએ 50000 રૂપિયા અથવા તેનાથી વધુના ચેક પેમેન્ટ પર પોઝિટિવ પેમેન્ટ લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેને બેંકો પોતાની સુવિધાઅનુસાર અપનાવી શકે છે.

PNB આ નિયમ બદલશે
1 સપ્ટેમ્બરથી પંજાબ નેશનલ બેંક પોતાના ખાતાધારકોને ઝાટકો આપશે. પંજાબ નેશનલ બેંકે પોતાના ખાતાધારકોને જબરો ઝાટકો આપવાની તૈયારી કરી લીધી છે. બેંકે પોતાના ગ્રાહકોની બચત ઘટાડવાની તૈયારી કરી લીધી છે. બેંકે સેવિંગ અકાઉન્ટના વ્યાજ દરોમાં બદલાવ કરવાનો ફેસલો લીધો છે. પંજાબ નેશનલ બેંકે 1 સપ્ટેમ્બરથી સેવિંગ અકાઉન્ટના વ્યાજ દર ઘટાડવાનો ફેસલો લીધો છે. પીએનબીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ 1 સપ્ટેમ્બરથી સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરોમાં કટૌતી કરવામાં આવશે.

ઘર સુધી પહોંચશે સિક્કા
બેંક હવે જલદી જ ડોર સ્ટેપ બેંકિંગની શરૂઆત કરવા જઈ રહી ચે, જે અંતર્ગત હવે ગ્રાહકોને તેમના ઘરે જ સિક્કા પહોંચાડવામાં આવશે. જણાવી દઈએ કે આરબીઆઈએ બેંકોને પોતાના થોક ગ્રાહકો માટે નવી સુવિધા પ્રદાન કરવાની મંજૂરી આપી દીધી છે. RBIએ સિક્કાની લેણ-દેણ વધારવા માટે બેંકોના પ્રોત્સાહનને પણ વધારી 65 રૂપિયા પ્રતિ બોરી કરી દીધું છે, જે પહેલાં 25 રૂપિયા હતું. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ સિક્કાની લેણ-દેણ વધારવા માટે 1 સપ્ટેમ્બરથી બેંકોની પ્રોત્સાહન રાશિ વધારી દીધી છે.

SBIના આ નિયમો બદલાઈ જશે
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધી પોતાના પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી લે. આવું ના કરવા પર ટ્રાંજેક્શનમાં સમસ્યા સર્જાઈ શકે છે. જણાવી દઈએ કે હાલમાં જ એસબીઆઈએ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે જરૂરી જાણકારી શેર કરતાં 1 વીડિયો શેર કર્યો. જેમાં ડેબિટ કાર્ડના ગુમ થઈ જવા પર, ક્યાંક પડી જવા પર અથવા ચોરી થઈ જવાની સ્થિતિમાં તમારે શું કરવું તેની જાણકારી આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
