મુશ્કેલીના સમયમાં સ્પાઇસજેટની વહારે આવ્યા ભૂતપૂર્વ પ્રમોટર અને 2 રોકાણકારો
નવી દિલ્હી, 19 ડિસેમ્બર : ડૂબતા માણસને જેમ તણખલું દેખાય તેમ નાણાકીય કટોકટીમાં ફસાયેલી સ્પાઇસજેટને આશાનું કિરણ દેખાયું છે. એરલાઇનને ભૂતપૂર્વ પ્રમોટર અજય સિંહના સ્વરૂપે રોકાણકાર મળવાની શક્યતા છે. અજય સિંહ સ્પાઇસજેટને નાણાકીય સહાય આપવા મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ ડીલ અંગે હજી સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર અજય સિંહ એરલાઇનમાં ઇક્વિટી હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. આ પહેલા તેમણે કાર્યકારી ખર્ચ માટે થોડી રોકડ આપી પણ દીધી છે. જેના કારણે ફ્લાઇટ્સ શરૂ થઇ શકી છે.
આ અંગે સૂત્રએ જણાવ્યું કે 'સિંહે કંપનીનાં વિવિધ પાસાંને ચકાસી તેમાં પુન: બેઠા થવાની સંભાવના હોવાનું તારણ મેળવ્યું છે.' સિંહ ગુરુવારે ગુડગાંવમાં સ્પાઇસજેટ મેનેજમેન્ટને તેમની ઓફિસમાં મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સ્પાઇસજેટ પાસે બુધવારે ઓઇલ કંપનીઓનું બિલ ચૂકવવા નાણાં ન હતાં. જોકે એરલાઇને હવે નાણાં ચૂકવી દીધાં છે અને ગુરુવારે તમામ 230 ફ્લાઇટ્સ ચાલુ કરવાની જાહેરાત પણ કરી હતી. અજય સિંહે આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
કલાનિધિ મારને 2010માં સ્પાઇસજેટને હસ્તગત કરી હતી. ત્યાર પછી સિંહે એરલાઇનમાંથી રોકાણ હળવું કર્યું હતું. અજય સિંહ બુધવારે એવિએશન સેક્રેટરી વી સોમાસુંદરન સહિત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓને પણ મળ્યા હતા. તેમણે એરલાઇનને ચાલુ રાખવાની મંજૂરી આપવાની વિનંતી કરી હોવાનું મનાય છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સિંહે તેમને જણાવ્યું હતું કે એરલાઇનને ચાલુ રાખવાની મંજૂરી મળશે તો તેની પાસે લાંબો સમય ચાલી શકે એટલી રોકડ ઉપલબ્ધ બનશે. સરકારી સૂત્રએ કહ્યું હતું કે તેમણે અમને જણાવ્યું હતું કે, તેમને ઝડપથી રોકાણકાર મળશે. કારણ કે ક્રૂડના ઘટતા ભાવને કારણે એરલાઇન કંપનીમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.
ઉલ્લેખનીય છે કે સિંહે 2005માં લંડનના બિનનિવાસી ભારતીય ભૂપેન્દ્ર કણસાગરા સાથે મળીને સ્પાઇસજેટ શરૂ કરી હતી. વર્ષ 2010માં કલાનિધિ મારને એરલાઇન ખરીદી પછી તેમણે રોકાણ હળવું કર્યું હતું. તેમણે કંપની છોડી ત્યારે સ્પાઇસજેટ પાસે રૂપિયા 800 કરોડની રોકડ અનામત હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
