ડ્રીમલાઇનરની ફ્લાઇટ્સ 17 ફેબ્રુઆરી સુધી મુલતવી

ઉલ્લેખનીય છે કે બોઈંગના 787 ડ્રીમલાઈનર વિમાનોમાં વપરાયેલી ખામીભરી લિથીયમ બેટરીઓ અંગે અમેરિકા તથા જાપાનના સત્તાવાળાઓએ હાથ ધરેલી તપાસ પૂરી થવામાં વધારે વિલંબ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ધારણાને પગલે ભારતની એર ઈન્ડિયા તેનાં 6 ડ્રીમલાઈનર વિમાનોને 17 ફેબ્રુઆરી, 2013 સુધી નહીં ઉરાડવાનો નિર્ણય લીધો છે..
નોંધપાત્ર બાબત છે કે એર ઈન્ડિયાએ ડ્રીમલાઇનર વિમાનોની ઉડાન સેવા ગઈ 17 જાન્યુઆરીથી બંધ કરી દીધી છે. અમેરિકાના એવિએશન રેગ્યૂલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આપેલી સૂચનાને પગલે ભારતના રેગ્યૂલેટર ડીજીસીએને ડ્રીમલાઈનર વિમાનોને સેવામાંથી હટાવી લેવા પડ્યા છે.
એર ઈન્ડિયાનું એવું માનવું હતું કે જાન્યુઆરીના અંત સુધીમાં એ ડ્રીમલાઈનરોને ફરી સેવામાં ઉતારી શકશે, પણ હવે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અને વધુ સૂચના ન મળે ત્યાં સુધી આ મોંઘાદાટ વિમાનોની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે નહીં.
એર ઈન્ડિયાને આશા હતી કે ડ્રીમલાઈનર વિમાનોને સેવામાં સામેલ કરવાથી આવક વધશે. આ વિમાનોમાં ઈંધણની બચત કરવાની ક્ષમતા છે. આ વિમાનોને ગયા વર્ષના સપ્ટેંબરથી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારથી અત્યાર સુધી તે પ્રતિદિન રૂ. બે કરોડની આવક કરાવી આપતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
