નવા ભાવ લાગૂ: પેટ્રોલ 25 પૈસા સસ્તુ તો ડીઝલ 50 પૈસા મોંઘુ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અનુસાર ડીઝલના ભાવોમાં ગુરૂવારે મધરાતેથી પ્રતિ લિટર 50 પૈસાનો વધારો અને પેટ્રોલના ભાવોમાં પ્રતિ લિટર 25 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં હવે દર મહિને પ્રતિ લિટર 50 પૈસાનો વધારો કરવામાં આવશે. જથ્થાબંધ ડીઝલનો ઉપયોગ કરનારાઓને હવે દિલ્હીમાં 57.96 રૂપિયા પ્રતિ લિટર ડીઝલ મળશે. ત્યારબાદ દર મહિનાની પહેલી અને 16 મી તારીખે તેના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. સરકારે આ પહેલાં ગત વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.
વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં ગુરૂવારે યોજાયેલી મંત્રીમંડળની રાજકીય મામલાઓની સમિતિએ આ નિર્ણય કર્યો હતો. સમિતિના ફેંસલા અનુસાર હવે દરેક પરિવારને એક વર્ષમાં છની જગ્યાએ નવ રાંઘણગેસ સસ્તા ભાવે આપવામાં આવશે. આના કરતાં વધુ જરૂતિયાત પડતાં બજારભાવે સિલિન્ડર પુરા પાડવામાં આવશે. તો બીજી તરફ ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પડતર કિંમત ઓછી થતાં 25 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
ડીઝલના ભાવમાં આંશિક રીતે નિયંત્રણ મુક્ત કરવાના સરકારના નિર્ણયથી ડીઝલ સબસિડીમાં આ વર્ષે લગભગ 112,900 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. રેલવે અને રાજ્ય પરિવહન નિગમ જેવા ડીઝલના જથ્થાબંધ ખરીદદારોને હવે બજારભાવે ડીઝલ ખરીદવું પડશે. ચાલુ નાણાંકીત વર્ષ દરમિયાન ડીઝલ, રાંધણગેસ અને કેરોસીનની પડતર કિંમત કરતાં ઓછા ભાવે વેચવાના કારણે ઓઇલ કંપનીને 1,60,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે એવું અનુમાન લગાવવામાં આવે છે. જેમાં 59 ટકા નુકસાન ડીઝલથી થશે.
પેટ્રોલિયમ મંત્રાલય દ્રારા મંત્રીમંડળની રાજકીય મામલાઓની સમિતિની બેઠક બાદ જાહેર કરવામાં આવેલા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે જથ્થાબંધમાં ડીઝલનો ઉપયોગ કરવાના ખરીદદારોને બજારભાવે આપવું પડશે. દિલ્હીમાં હાલ ડીઝલનો ભાવ 47.15 છે.
મંત્રીમંડળની બેઠક બાદ પેટ્રોલિયમ મંત્રી એમ. વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે ' અમે પેટ્રોલિયમ પદાર્થો વેચનારી કંપનીઓને ધીરે-ધીરે ડીઝલના ભાવ વધારવાની આઝાદી આપી છે. તેને સમય-સમય પર ડીઝલના ભાવમાં સામાન્ય વધારો કરવાનો અધિકાર આપ્યો છે.' ડીઝલના ભાવ નિયંત્રણ મુક્ત કરવાનો નિર્ણય જૂન 2010માં લેવામાં આવ્યો હતો પરંતુ તેના પર અમલ થઇ શક્યો ન હતો. હાલમાં એલપીજી અને કેરોસીનના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વર્ષે માર્ચ મહિના સુધી વપરાશકર્તાઓને પાંચ સસ્તા સિલિન્ડર આપવામાં આવશે. ઓઇલ કંપની એ પ્રમાણે ભાવ વધારશે કે મુદ્રાસ્ફીતિ અસર વર્તાઇ નહી. આ ઉપરાંત ઉપભોક્તા પર ભારણ ન પડે.
નાણાં મંત્રી ચિદંમબરમે પણ કહ્યું હતું કે ઓઇલ કંપનીઓને સમય-સમય પર સામાન્ય વધારો કરવાની પરવાનગી આપવામાં આવી છે. દિઝલના ભાવ વધવાથી સબસિડી ઓછી થશે તેમાં હું સામેલ નથી. પેટ્રોલિયમ પદાર્થોની આટલી જ રહેશે જેટલું અનુમાન લગાવવામાં આવ્યું છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
