લોનમાં નાદારી નોંધાવો ત્યારે શું કરી શકાય?
આપે મહત્વનાં કામ માટે લોન લીધી છે પરંતુ કોઇ ખાસ કારણે આપ નજીકના ભવિષ્યમાં તેને ભરપાઇ કરી શકો એમ નથી એવી સ્થિતિ ઉભી થઇ છે. આવી સ્થિતિમાં હારીને કે માનસિક હતાશામાં આપઘાત કરવાની કોઇ જરૂર નથી. આવી સ્થિતિમાં આપને લોન કે ધિરાણ આપનારી વ્યક્તિ કે સંસ્થા તેના ખાસ ગ્રાહકની નાજુક સ્થિતિ સમજે છે અને થોડા સમય માટે માર્ગ કેવી રીતે કરી શકાય તેની સમજ આપે છે.
આવી સ્થિતિમાં આપે બેંકથી ભાગવાને બદલે તરત જ આપની બેંકને જાણ કરવી જોઇએ કે આપ હાલમાં લોન ચૂકવવા માટે સક્ષમ નથી. આ ઉપરાંત લોન નહીં ચૂકવી શકવાનું કારણ પણ આપે બેંકને જણાવવું જોઇએ. ત્યાર બાદ બેંક આપની આર્થિક સ્થિતિની ચકાસણી કરશે અને આર્થિક સંકટમાંથી બહાર આવવા નીચેના વિકલ્પો આપશે...

EMI કે ડેબ્ટ રિશેડ્યુલિંગ
જ્યારે બેંક આપની નાદારી ચકાસશે ત્યારે તેને એમ લાગશે કે લોનના ઊંચા હપ્તાને કારણે આપના પર આર્થિક બોજ વધ્યો છે અને આપ ઉધારી ચૂકવવા સક્ષમ નથી તો બેંક આપને વ્યાજનો હપ્તો ઘટાડી આપશે અને લોન ભરપાઇ કરવાનો સમય વધારી આપશે. જો કે આમ કરવાથી આપે વધારે વ્યાજ ચૂકવવું પડશે. હા, આપના આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે તે શ્રેષ્ઠ માર્ગ છે.

લોન રિપેમેન્ટ પીરિયડમાં સુધારો કરવો
હાઉસ લોન જેવા કિસ્સામાં આરબીઆઇ બેંકોને લોન રિપેમેન્ટ પીરિયડ એક વર્ષથી વધારે વર્ષ માટે વધારી આપવાની ના કહે છે. આ એક વર્ષમાં જો લોન ધારક લોનની ચૂકવણી કરવામાં અસક્ષમ હોય તો બેંક જામીનનું વેચાણ કરીને લોન ભરપાઇ કરીને ખાતું બંધ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે. મોટા ભાગે બેંકો આમ કરવાનું ટાળે છે કારણ કે તેનાથી બેંકોની નોન પરફોર્મિંગ એસેટ્સ વધે છે.

વન ટાઇમ સેટલમેન્ટ
અસુરક્ષિત લોન એકાઉન્ટ્સ માટે અથવા તો ક્રેડિટ કાર્ડના કિસ્સામાં બેંકો બાકી રહેલી લોનની રકમ માટે વન ટાઇમ સેટલમેન્ટ વિકલ્પ આપે છે. આ માટે લોન ધારકને અંદાજિત રકમ ચૂકવીને લોનનું ખાતું બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આ માટે બેંકો કેટલાક ચાર્જીસ અને લોન ફી પર રાહત આપે છે. આવી સ્થિતિમાં બેંક ભવિષ્યમાં તમને લોન આપતા વિચાર કરશે અથવા ઊંચા દરે લોન આપશે.

અસુરક્ષિત લોનને સુરક્ષિતમાં ફેરવવી
ધિરાણ આપનારી બેંકો આવી સ્થિતિમાં સિક્યોર લોનની સામે અનસિક્યોર લોન આપવા અંગે વધારે કડક વલણ દાખવે છે. બેંકને એમ લાગે કે આમ કરવાથી લોન કવર થઇ શકશે તો જ તે અનસિક્યોર લોન આપે છે. આમ કરવાથી વ્યાજનો દર ઘટે છે અને ઇએમઆઇ પણ ઘટે છે.

ઇન્ટરેસ્ટ હોલિડે
જો લોન લેનાર બેંકને અરજી કરે અને બેંકને યોગ્ય કારણ લાગે તો બેંક તે માટે મંજુરી આપે છે. આવા કિસ્સામાં અગાઉ નક્કી કરેલી શરતો, બેંક ચાર્જ ફી કે પેનલ્ટી વસૂલ કરે છે.

રિફાઇનાન્સિંગ લોન
લોન ધારકને જો અન્ય બેંકોની સરખામણીમાં તેનો બેંક રેટ ઊંચો લાગે તો તે બેંકનો સંપર્ક કરી શકે છે. આમ કરીને બેંકને વ્યાજ દર ઘટાડવાનું કહી શકાય છે. આ સિવાય લોન ધારક બેંક પણ બદલી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
