ભારતનો બેરોજગારી દર 16 મહિનામાં સૌથી વધુ 8.30 ટકા રહ્યો, CMIEએ આપી જાણકારી
CMIE દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, શહેરી બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો હતો. જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. આ સાથે ગ્રામીણ બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો હતો.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા રવિવારના રોજ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. CMIE દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતનો બેરોજગારી દર ડિસેમ્બરમાં વધીને 8.30 ટકા થયો હતો, જે 16 મહિનામાં સૌથી વધુ છે, જે અગાઉના મહિનામાં 8.00 ટકા હતો.

CMIE દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, શહેરી બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો હતો. જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. આ સાથે ગ્રામીણ બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો હતો.
આ અંગે જાણકારી આપતા CMIE ના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસ દ્વારા જણાવ્યા અનુસાર, બેરોજગારી દરમાં વધારો જેટલો ખરાબ જણાય છે, તેટલો ખરાબ નથી. કારણ કે, તે શ્રમ સહભાગિતા દરમાં તંદુરસ્ત વૃદ્ધિની ટોચ પર આવ્યો હતો, જે ડિસેમ્બર, 12 મહિનામાં સૌથી વધુ 40.48 ટકા સુધી વધ્યો હતો.
રોઇટર્સના અહેવાલ અનુસાર, મહેશ વ્યાસે જણાવ્યું હતું કે, સૌથી મહત્વપૂર્ણ રોજગાર દર ડિસેમ્બરમાં વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે. વર્ષ 2024માં રાષ્ટ્રીય ચૂંટણીઓ (લોકસભા ઇલેક્શન 2024) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વહીવટીતંત્ર માટે હાઇ ઇન્ફ્લેશન અને જોબ માર્કેટમાં પ્રવેશતા લાખો યુવાનો માટે નોકરીઓનું સર્જન એ સૌથી મોટો પડકાર છે.
કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી અને મોદીની ભાજપની વિભાજનકારી રાજનીતિ જેવા મુદ્દાઓ પર લોકોના અભિપ્રાયને એકત્ર કરવા માટે સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી શ્રીનગર સુધી પાંચ મહિના લાંબી ક્રોસ-કંટ્રી ભારત જોડો યાત્રા શરૂ કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, ભારતે જીડીપી વૃદ્ધિ પર એકલ ધ્યાન કેન્દ્રીત કરીને રોજગાર, યુવાનોના કૌશલ્ય અને નિકાસની સંભાવનાઓ સાથે ઉત્પાદન ક્ષમતાઓ સાથે વૃદ્ધિ તરફ આગળ વધવાની જરૂર છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા સંકલિત અને નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા અલગ-અલગ ત્રિમાસિક ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેરોજગારીનો દર અગાઉના ક્વાર્ટરમાં 7.6 ટકાની સરખામણીએ ઘટીને 7.2 ટકા થયો હતો.
CMIE ડેટા દર્શાવે છે કે, ડિસેમ્બર 2022માં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો. આ સાથે નવેમ્બર 2022માં ગુજરાતમાં બેરોજગારીનો દર 2.49 ટકા હતો. તાજેતરના મહિનાઓમાં ગુજરાતમાં બેરોજગારીનો દર નોંધપાત્ર રીતે વધઘટ થયો હોવા છતાં, તે ડિસેમ્બર 2021 - નવેમ્બર 2022ના સમયગાળા દરમિયાન નવેમ્બર 2022 માં 2.49 ટકા રહ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
