Budget 2024 :ક્યારેક પાકિસ્તાનના વડાપ્રધાને રજુ કર્યુ હતુ ભારતનું બજેટ, જાણો કેમ કહેવાય છે હિન્દુ વિરોધી બજેટ?
કેન્દ્ર સરકાર દ્વારા 2024 નું બજેટ લોકસભામાં રજુ થવા જઈ રહ્યું છે. બજેટની ખુબ ચર્ચા વચ્ચે બહુ ઓછા લોકો જાણે છે કે ક્યારેક ભારત માટે પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાને પણ બજેટ રજુ કર્યુ છે.
ભારતમાં બજેટનો ઈતિહાસ 180 વર્ષથી વધુ જૂનો છે. અંગ્રેજો હતા ત્યારથી બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ આજે જે બજેટની વાત કરવા જઈ રહ્યા છીએ તેને મોટો હોબાળો સર્જ્યો હતો.

લિયાકત અલીએ રજુ કર્યુ હતુ બજેટ
2 ફેબ્રુઆરી 1946 ના રોજ પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાને ભારતનું બજેટ રજૂ કર્યું હતું. તે સમયે લિયાકત અલી ખાન પંડિત જવાહર લાલ નેહરુની વચગાળાની સરકારમાં નાણામંત્રી હતા.
આ બજેટ ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. જો કે લિયાકત અલીના આ બજેટની ભારે ટીકા થઈ હતી. આ બજેટના દોઢ વર્ષ બાદ વિભાજન બાદ લિયાકત અલી ખાન પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બન્યા.
મોહમ્મદ અલી ઝીણાના નજીકના મનાતા લિયાકત અલી ખાને આ બજેટ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં રજૂ કર્યું હતું. આજે પણ ઈતિહાસમાં આ બજેટને ગરીબ માણસનું બજેટ કહેવામાં આવે છે.
ઉદ્યોગપતિ વિરોધી બજેટ
દેશના ઉદ્યોગપતિઓએ પણ આ બજેટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે લિયાકત અલીના આ બજેટમાં ટેક્સ ખૂબ જ કડક રાખવામાં આવ્યો હતો, જેના કારણે સૌથી વધુ નુકસાન વેપારીઓને થયું હતું.
આ બજેટમાં તેમણે ઉદ્યોગપતિઓ પર દર 1 લાખના નફા પર 25 ટકા ટેક્સ લાદવાની દરખાસ્ત કરી હતી. એટલું જ નહીં કોર્પોરેટ ટેક્સ બમણો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બજેટની રજૂઆત બાદ લિયાકત અલી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. લોકોએ આ બજેટને હિંદુ વિરોધી બજેટ ગણાવ્યું હતું. વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓએ જાણીજોઈને આવા ટેક્સની જોગવાઈ લાદી છે.
હિન્દુ વિરોધી બજેટ
એવું કહેવામાં આવ્યું હતું કે લિયાકત હિન્દુ ઉદ્યોગપતિઓની વિરુદ્ધ હતા તેથી તેમને નુકસાન પહોંચાડવા માટે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું.
ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી પાકિસ્તાનની કમાન લિયાકત અલી ખાનને સોંપવામાં આવી. તેમને પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા. જો કે તે ત્યાં લાંબો સમય શાસન કરી શક્યા નહીં અને ચાર પછી 1951માં તેમની હત્યા કરાઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
