બીએસએનએલના 18400 કર્મચારીઓએ વીઆરએસ માટે કર્યુ આવેદન
સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલે પોતાના તમામ કર્મચારીઓને સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લેવાનો વિકલ્પ આપ્યો હતો ત્યારબાદ અત્યાર સુધી 18400 કર્મચારીઓએ વીઆરએસના વિકલ્પને પસંદ કર્યો છે.
સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલે પોતાના તમામ કર્મચારીઓને સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લેવાનો વિકલ્પ આપ્યો હતો ત્યારબાદ અત્યાર સુધી 18400 કર્મચારીઓએ વીઆરએસના વિકલ્પને પસંદ કર્યો છે. ખૂબ જ નુકશાનમાં ચાલી રહેલ બીએસએનએલે પોતાના કર્મચારીઓને સ્વેચ્છાએ રિટાયર થવાનો વિકલ્પ આપ્યો હતો. કેન્દ્ર સરકારે આ પહેલા બીએસએનએલ અને એમટીએનએલને નુકશાનમાંથી બહાર કાઢવા માટે 70000 કરોડ રૂપિયાની મદદ આપવાનુ એલાન કર્યુ હતુ. 70000 કરોડ રૂપિયામાં સરકારે 30000 કરોડ રૂપિયા બંને કંપનીઓના કર્મચારીઓને સ્વેચ્છાથી વીઆરએસ લેવા માટે આપ્યા છે.

7000 કરોડની થશે બચત
બીએસએનએલના કર્મચારીઓ માટે સ્વેચ્છાથી રિટાયરમેન્ટ લેવાનો વિકલ્પ 4 ડિસેમ્બર સુધી રહેશે. આ સ્કીમની શરૂઆત 3 નવેમ્બરના રોજ કરવામાં આવી છે. ધ હિંદુના સમાચાર મુજબ સૂત્રોએ જણાવ્યુ કે 18400 કર્મચારીઓએ આ વિકલ્પને વિકલ્પ લેવા માટે યોગ્ય ગણાવ્યો છે. બીએસએનએલમાં કુલ 1.5 કર્મચારી છે. કંપનીને આ વાતનુ અનુમાન છે કે લગભગ 70થી 80 હજાર કર્મચારી વીઆરએસ માટે આવેદન કરી શકે છે જેના કારણે કંપની લગભગ 7000 કરોડ રૂપિયા બચાવી શકશે.

આપવામાં આવશે અનુદાન
બીએસએનએલની વીઆરએસ સ્કીમ 2019 હેઠળ બધા સ્થાયી કર્મચારી અને જેમની ઉંમર 50 વર્ષ કે તેનાથી વધુ છે તે આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. જે કર્મચારી આ વિકલ્પ પસંદ કરશે તેમને પૂરા કાર્યકાળના અનુદાનની ચૂકવણી કરવામાં આવશે જે રિટાયરમેન્ટ સુધીની ઉંમર છે. બચેલી નોકરીના કાર્યકાળ માટે કર્મચારીઓને પ્રતિ મહિને 25 દિવસની સેલેરીન હિસાબે અનુદાન આપવામાં આવશે. સાથે જેટલા વર્ષ તેમણે નોકરી કરી છે તેમાંથી દર મહિને 35 દિવસના હિસાબથી તેમને અનુદાન આપવામાં આવશે.

એમટીએનએલના કર્મચારીઓ માટે પણ વિકલ્પ
વળી, એમટીએનએલની વાત કરીએ કે જે માત્ર દિલ્લી અને મુંબઈમાં જ સંચાલિત છે તેના પણ કર્મચારીઓ માટે વીઆરએસનો વિકલ્પ ચાલુ છે. આ સ્કીમને ગુજરાત મોડલ હેઠળ લાગુ કરવામાં આવી છે. આ યોજના એમટીએનએલના કર્મચારીઓ માટે 3 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે સતત નુકશાનમાં ચાલી રહેલી કંપનીઓને નુકશાનમાંથી બહાર કાઢવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
