બાપ રે, આ કંપનીના 54 હજાર કર્મચારીઓ ગુમાવી શકે છે નોકરી
બાપ રે, આ કંપનીના 54 હજાર કર્મચારીઓ ગુમાવી શકે છે નોકરી
નવી દિલ્હીઃ આર્થિક સંકટમાં સપડાયેલ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડના 54000 જેટલા કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી શકે છે. ડેકન હેરાલ્ડના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની બોર્ડે અમુક પ્રસ્તાવોની સ્વીકૃતિ કરી છે જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ આ અંગેને એલાન માટે ચૂંટણીનો ઈંતેજાર કરી રહ્યું છે. રિપોર્ટમાં એક સૂત્રનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે બીએસએનએલ બોર્ડે માર્ચની બેઠકમાં સરકારની એક વિશેષ પેનલના દસમાંથી ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.

ટેલિકોમ વિભાગ ચૂંટણી પહેલા છટણી નથી ઈચ્છતું
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ નથી ઈચ્છતું કે ચૂંટણી પહેલા કર્મચારીઓની છટણી થાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે ત્રણ પ્રસ્તાવોની સ્વીકૃતિ આપી દેવામાં આવી છે તેમાં સેવાનિવૃત્તિની વર્તમાન આયુ સીમા 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરવી, સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ (વીઆરએસ) જેમાં 50 વર્ષથી વધુના તમામ કર્મચારીઓ સામેલ છે, ઉપરાંત બીએસએનએલ 4જી સ્પેક્ટ્રમની વહેંચણીમાં પણ તેજીની વાત કહેવામાં આવી છે.

54 હજારથી વધુ કર્મચારીઓની છુટ્ટી થઈ શકે
એવામાં રિટાયરમેન્ટની ઉંમર વીઆરએસને લઈ કરવામાં આવેલ ફેસલાથી 54 હજાર 451 કર્મચારીઓની છુટ્ટી થઈ શકે છે. કેમ કે કંપનીમાં એવા કર્મચારીઓની કુલ સંખ્યા 31 ટકા છે. એટલું જ નહિ, રિટાયરમેન્ટ આયુની સીમાને ઘટાડવાથી 33,568 કર્મચારીઓની બાદબાકી થઈ જશે. જેનાથી આગામી 6 વર્ષમાં કંપનીની 13895 કરોડ રૂપિયાની બચત થશે. કેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે કંપનીમાં મહત્તમ કર્મચારીઓની આયુ 55 વર્ષથી વધુ છે.
|
વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું
જણાવી દઈએ કે બીએસએનએલ અને એમટીએનએલ બંને જ પોતાના કર્મચારીઓને ફેબ્રુઆરીમાં પગાર આપવામાં અસમર્થ રહી. આ ઉપરાંત કંપનીના કર્મચારીઓએ વિરોધ પણ જતાવ્યો હતો. જ્યારે બીએસએનએલમાં કર્મચારીઓની છટણીને લઈ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી સરકાર પર હુમલો બોલ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે બીએસએનએલ અને એમટીએનએલ કંપની દેશના 130 કરોડ લોકોની છે. તેમણે કહ્યું કે સરકારે બંને કંપનીઓના હાલ બેહાલ કરી દીધા અને હવે આ કંપનીઓ ડૂબી રહી છે. મોદીજીએ પૂંજીપતિ મિત્રોની કંપનીઓને આગળ વધારી, બીએસએનએલ અને એમટીએનએલ બંધ થવાની તૈયારીમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
