આજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ
આજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકો આજથી 5 દિવસ સુધી બંધ રહેશે. 21 ડિસેમ્બરથી અધિકારીઓના એક યૂનિયને પોતાની માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે, જેને પગલે આજ બેંકમાં કોઈપણ પ્રકારની કામગીરી થશે નહિ. પાંચ દિવસમાં માત્ર વચ્ચે એક દિવસ માટે બેંક ખુલશે. એવામાં વર્ષના અંતમાં બેંકમાં કોઈ જરૂરી કામના ઈંતેજારમાં બેઠેલા લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ પાંચ દિવસોમાં વિવિધ માગને લઈ બે દિવસ બેંકોની હડતાળ છે અને બાકી ત્રણ દિવસ રજા છે.

વચ્ચે એક દિવસ જ ખુલશે બેંક
બેંકોમાં પાંચ દિવસની રજાને પગલે લોકોને રોકડની તકલીફ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બરે પોતાની માગણીઓને લઈને બેંક અધિકારીઓના એક યૂનિયને હડતાળ બોલાવી છે. જે બાદ 22 ડિસેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે સરકીર રજાને કારણે બેંકો બંધ રહેશે. આગલા દિવસે 23 ડિસેમ્બરે રવિવાર હોવાથી બેંકો નહિ ખુલે. જે બાદ 24 ડિસેમ્બરે બેંકો ખુલશે અને કામકાજ થશે. જો કે સોમવારે 3 બેંક ખુલ્યાની સાથે બેંકોમાં ભીડ રહી શકે છે.

રોકડની તકલીફ પડી શકે
સોમવાર પછી ફરી બે દિવસ માટે બેંકો બંધ રહેશે. 25મી ડિસેમ્બરે ક્રિસમસ હોવાના પગલે તમામ બેંકોનું કામકાજ બંધ રહેશે. જે બાદ 26મી ડિસેમ્બરે બેંક કર્મચારીઓની ટૂનાઈટેડ ફોરમે પોતાની માંગણીઓને લઈને હડતાળ બોલાવી છે, જેને પગલે બેંકો બંધ રહેશે. ત્યારે માત્ર 24 ડિસેમ્બરને બાકાત રાખી 21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી બેંકોમાં કોઈ કામકાજ નહિં થાય. જો કે બેંક અધિકારીઓનું કહેવું છે કે આ દરમિયાન એટીએમમાં કેશની તકલીફથી બચવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

3.2 લાખ સભ્યો હડતાળ પર
જણાવી દઈએ કે શુક્રવારે એટલે કે 21 ડિસેમ્બરે ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશને પોતાની માગણીને લઈને હડતાળનું આહ્વાન કર્યું છે. બેંક અધિકારીઓએ ઈન્ડિયન બેંક એસોસિએશનની હડતાળ પરત લેવાની માગણીને એમ કહીને ઠુકરાવી દીધી છે કે વાતચીતના 20 મહિના બાદ પણ તેમની માગણીને પગલે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. 21 ડિસેમ્બરે બેંક અધિકારીઓના યૂનિયનના 3.2 લાખ સભ્યો હડતાળ પર રહેશે. જો કે, બેંક એ સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરી રહી છે કે ગ્રાહકોને આ પાંચ દિવસ દરમિયાન કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. રોકડની સમસ્યાને પહોંચી વળવા માટે તમામ એટીએમમાં વધુ પ્રમાણમાં કેશ મોકલવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
