વિલીનિકરણના વિરોધમાં ચાર દિવસ સતત બેંકો રહેશે બંધ, કરી લો જરૂરી કામ
બેંક કર્મચારીઓના ચાર યુનિયનોએ સાર્વજનિક ક્ષેત્રની દસ બેંકોના વિલયની ઘોષણાના વિરોધમાં બે દિવસનું બંધનુ એલાન કર્યુ છે.
કેન્દ્ર સરકારે દસ રાષ્ટ્રીયકૃત બેંકોનુ વિલીનિકરણ કરીને ચાર મોટી બેંકો બનાવવાની ઘોષણા કરી હતી. પીએનબી, ઓરિએન્ટલ બેંક અને યુનાઈટેડ બેંકનુ વિલીનિકરણ થશે. આ સાથે કેનેડા બેંકનુ સિંડિકેટ બેંકમાં વિલય થશે. આ ઉપરાંત ઈન્ડિયન બેંક અને અલાહાબાદ બેંકનું પણ મર્જર થશે. વળી, ઘણી બેંક યુનિયન સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓના ચાર યુનિયનોએ સાર્વજનિક ક્ષેત્રની દસ બેંકોના વિલયની ઘોષણાના વિરોધમાં બે દિવસનું બંધનુ એલાન કર્યુ છે.

ચાર દિવસ સતત બેંક રહેશે બંધ
એટલુ જ નહિ આ બેંક યુનિયનોએ સરકારના આ નિર્ણયના વિરોધમાં નવેમ્બરના બીજા સપ્તાહથી અનિશ્ચિતકાળની હડતાળ પર જવાની પણ ધમકી આપી છે. વાસ્તવમાં 26 સપ્ટેમ્બરે ગુરુવાર છે અને 27 સપ્ટેમ્બરે શુક્રવાર છે પરંતુ હડતાળના કારણે આ બે દિવસોમાં બેંકોનુ કોઈ કામ નહિ થાય. જ્યારે 28 સપ્ટેમ્બરે ચોથો શનિવાર છે જેના કારણે બેંકમાં રજા હશે અને 29 સપ્ટેમ્બરે રવિવારની રજા છે. આમ બેંક સતત ચાર દિવસ સુધી બંધ રહ્યા બાદ 30 સપ્ટેમ્બરના રોજ જ ખુલશે.

26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ
કર્મચારી યુનિયન બેંક કર્મચારીઓના વેતન સુધારાની પ્રક્રિયાને ઝડપી કરવા અને પાંચ દિવસના સપ્તાહની પણ માંગ કરી રહ્યા છે. હડતાળનુ આહ્વાન ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશન, ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન, ઈન્ડિયન નેશનલ બેંક ઑફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બેંક ઑફિસર્સે કર્યુ છે. એઆઈબીઓસી ચંદીગઢના મહાસચિવ દીપક કુમાર શર્માએ આ માહિતી આપી. શર્માએ જણાવ્યુ કે દેશભરની રાષ્ટ્રીયકૃત બેંક 25 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી 27 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ સુધી હડતાળ પર રહેશે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલીનિકરણના વિરોધ અને પોતાની માંગોના સમર્થનમાં બેંક કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

સરકારે 10 બેંકોના વિલીનિકરણનો કર્યો હતો નિર્ણય
તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને સરકારી બેંકોના વિલીનિકરણની ઘોષણા કરી હતી. કેન્દ્ર સરકારે પીએનબીમાં ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ અને યુનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયાનુ કેનેડા બેંકમાં, સિંડિકેટ બેંકનું યુનિયન બેંક ઑફ ઈન્ડિયામાં, આંધ્ર બેંકમાં કૉર્પોરેશન બેંકનુ જ્યારે ઈન્ડિયન બેંકનું ઈલાહાબાદ બેંકમાં વિલીનિકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંકોના મર્જરના એલાન બાદ માત્ર ખાતાધારકોની ચિંતા નથી વધી પરંતુ બેંક કર્મચારીઓની નોકરી પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. જો કે આ ચિંતાને ફગાવીને નાણામંત્રીએ કહ્યુ હતુ કે બેંકોના મર્જરથી એક પણ કર્મચારીની નોકરી નહિ જાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
