PNB કૌંભાડ પછી ઓબીસીમાં પણ જ્વેલરે કર્યું 389 કરોડની ઠગાઇ
દિલ્હીના એક જ્વેલરે ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે છેતરપીંડી કરી છે. જે મામલે બેંકે સીબીઆઇમાં કેસ દાખલ કરાવ્યો છે.
પંજાબ નેશનલ બેંક સાથે જ્યાં કરોડો રૂપિયાના કૌંભાડની વાત સમી નથી ત્યાં જ વધુ એક બેંક સાથે ઠગાઇની વાત બહાર આવી છે. દિલ્હીના એક જ્વેલરે ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે છેતરપીંડી કરી છે. જે મામલે બેંકે સીબીઆઇમાં કેસ દાખલ કરાવ્યો છે. જાણકારી મુજબ બેંકે આ મામલે લગભગ 6 મહિના પહેલા સીબીઆઇમાં જ્વેલર્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પણ સીબીઆઇએ નિરવ મોદી અને પીએનબીની છેતરપીંડી બહાર આવ્યા પછી આ મામલે કેસ દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ દિલ્હી સ્થિત જ્વેલર્સે 389.85 કરોડની છેતરપીંડી બેંક સાથે કરી છે.

CBI દાખલ કરી FIR
સીબીઆઇએ આ મામલે દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેજ વિરુદ્ધ આ મામલે છેતરપીંડીની ફરિયાદ નોંધી છે. સીબીઆઇએ સભ્ય શેઠ, રીતા શેઠ, કુષ્ણ કુમાર સિંહ, રવિ સિંહ અને તે સિવાય અન્ય કંપની દ્વારકા શેઠ એસઇજેડ ઇનકોર્પોરેશન વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે જે રીતે જાણકારી મળી છે તે મુજબ ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસે 2007-12ની વચ્ચે આ કંપનીની અનેક લોન પાસ કરાવી હતી. બેંક દ્વારા કુલ 389 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

શું છે મામલો?
આ દરમિયાન લોનની રાશિ વધતા અને કંપની તરફથી તેની ભરપાઇ ના કરતા, પૈસા ભરવાની વાત કરવામાં આવી હતી. વધુમાં બેંકને તે પણ જાણવા મળ્યું કે કંપનીએ જે લેટર ઓફ ક્રેડિટ જાહેર કર્યું હતો તેનો ઉપયોગ બીજા દેશમાં સોનાની ખરીદી, મોંધી જ્વેલરી અને હિરા ખરીદવા માટે થઇ રહ્યો હતો. જે પછી બેંકે તે અંગે ફરિયાદ નોંધી છે. જે પણ હવે સીબીઆઇ હાલ આ અંગે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દેશ છોડી ભાગી ચૂક્યો છે વેપારી
વળી આ કંપનીના માલિક પણ નિરવ મોદીની જેમ જ અત્યાર સુધીમાં વિદેશ ભાગી ચૂક્યા હોવાની વાત પણ બહાર આવી છે. અને સાથે જ જે કંપની સાથે તેણે લેવડ દેવડ કરી છે તેવી કોઇ કંપની ખરેખરમાં અસ્તિત્વમાં જ નહતી તેવું પણ જાણવા મળ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીના ડાયરેક્ટર્સ 10 મહિનાથી પોતાના ઘરે પરત નથી ફર્યા. જો કે આ મામલે હાલ સીબીઆઇ તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
