નોટબંધી બાદ આ 10 લાખ લોકો પર છે મોદી સરકારની નજર
આરબીઆઇ તરફથી નોટબંધીને લગતા મહત્વપૂર્ણ આંકડાઓ જાહેર કરાયા બાદ આવકવેરા વિભાગ દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.
ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધીને લગતા આંકડા સાર્વજનિક કરાયા બાદ હવે આવક વેરા વિભાગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આવક વેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, લગભગ 10 લાખ પર તેઓ નજર રાખી રહ્યાં છે. આ લોકો નોટબંધી દરમિયાન સંદિગ્ધ શ્રેણીમાં આવી ગયા છે, કારણ કે તેમના ખાતામાં વધુ પ્રમાણમાં પૈસા જમા કરાવવામાં આવ્યા છે. આ અંગે આવક વેરા વિભાગની તપાસ ચાલુ છે. આવક વેરા વિભાગ અનુસાર, નોટબંધી દરમિયાન કુલ 9.72 લાખ લોકોએ કુલ 13.33 લાખ ખાતાઓમાં 2.89 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ 9.72 લાખ લોકો પર આવક વેરા વિભાગની નજર છે અને તેમને જાણકારી આપ્યા વિના જ તેમની તપાસ થઇ રહી છે. માત્ર 3-4 અઠવાડિયાની અંદર જ આ ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા.

બીજી બાજુ નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, નોટબંધીથી ઘણો ફાયદો થયો છે. નોટબંધીને કારણે લોકો તરફથી ફાઇળ થતા ટેક્સ રિટર્નમાં 5.43 ટકાનો વધારો નોંધાયો છે. કુલ કરદાતામાં 1.26 કરોડનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે આરબીઆઇ તરફથી નોટબંધી સંબંધિત જાણકારી જાહેર કરવામાં આવી હતી, જે અનુસાર 99 ટકા નોટ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. આ આંકડાઓ અનુસાર, કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇમાં પરત આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
