તસવીરોમાં જુઓ દક્ષિણ ભારતમાં નવરાત્રી વખતે ઉજવાતો ડોલ ફેસ્ટિવલ
નવરાત્રીમાં ગુજરાતભરમાં નવ રાતો સુધી ગરબા રમીની ખૈલેયાઓ માં દુર્ગાની અનોખી રીતે પૂજા કરે છે. પણ નવરાત્રીનો આ તહેવાર ખાલી આપણા ગુજરાતમાં જ નથી ઉજવાતો. ભારતભરમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેમ પણ ખાસ કરીને દક્ષિણ ભારતમાં નવરાત્રી દરમિયાન એક અનોખો ડોલ ફેસ્ટિવલ ઉજવાય છે.
જેમાં ભગવાન, જાણીતા સંતો અને વિવિધ લોકોની નાની મૂર્તિઓને પગથિયા પર ગોઠવીને સજાવામાં આવે છે. એટલું જ નહીં નવે નવ દિવસ તેની વિધિવત પૂજા પણ કરાય છે. અનેક ઘરમાં વર્ષોથી પેઢી દર પેઢી આ ઉત્સવને ઉજવવામાં આવે છે. જેમાં માટીમાંથી બનેલા ઢંગલા ઢંગલીઓને સુંદર રીતે સજાવીને મૂકવામાં આવે છે.
કર્ણાટકમાં બોમ્બે હબ્બા કે ગોલુ ઉત્સવ તરીકે ઉજવાતા આ ડોલ ફેસ્ટિવલને તેલુગુમાં બોમ્મલા કોલુવુ કહેવાય છે અને તમિલમાં બોમ્મઇ કોલુ. તથા તેને દશેરા ડોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૈસુરના રાજ પરિવાર દ્વારા પણ ઉત્સવને ભવ્ય તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 10 દિવસ ચાલતા આ ઉત્સવની કેટલીક રસપ્રદ વાતો, તેની વિધિ અને ધાર્મિક મહત્વ વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં. સાથે જે તસવીરોમાં જુઓ કેટલીક સુંદર રીતે આ ઉત્સવને અહીં ઉજવાય છે.

ડોલ ફેસ્ટિવલ
આ ઉત્સવ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા દક્ષિણ ભારતના રાજ્યો અને શ્રીલંકામાં મોટા પાયે ઉજવામાં આવે છે.

પગથિયાનું મહત્વ
આ ઢીંગલીઓને એક ક્રમ બદ્ધ પણે રાખવામાં આવે છે દરેક ઘરમાં પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે ત્રણપાંચ, સાત, અગિયાર તેવી રીતે પગથિયા ગોઠવીને તેની પર ભગવાનની આ મૂર્તિઓ મૂકે છે.

મૂર્તિઓનો પણ ક્રમ
વધુમાં કયા પગથિયા પર કંઇ મૂર્તી લાગશે તેનો પણ એક ક્રમ હોય છે. જેમ કે ઉપરના 1થી 3 પગથિયામાં દેવી દેવતાઓની નાની મૂર્તિ મૂકાય છે.

મૂર્તિઓનો ક્રમ
તો વળી 4થી 6 ક્રમના પગથિયા પર જાણીતા સાધુ ,સંત, રાજા-રાણીની મૂર્તિ મૂકવામાં આવે છે. અને છેલ્લા પગથિયાઓ પર હિંદુ વિવિધ ઉત્સવોનું વિવરણ મૂર્તિઓ દ્વારા બતાવામાં આવે છે.

મૂર્તિમાં જોડીઓનું મહત્વ
આ મૂર્તિઓમાં જોડીઓનું ખાસ મહત્વ હોય છે કૃષ્ણ-રાધા, શિવ પાર્વતી, રામ-સીતાની જોડીને સાથે રાખવામાં આવે છે. અને 10 દિવસ સુધી તેને વિધિવત પૂજા કરી ભોગ ચઢાવામાં આવે છે.

ગામ પરંપરા
તો આ ફોટોમાં ગામ અને ગ્રામ સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે. આ તમામ મૂર્તીઓ લાકડા કે માટીમાંથી બને છે. અને તેને રેશમના કપડા કે પ્રાકૃતિક રંગાથી પરંપરાગત રીતે રંગવામાં આવે છે.

પર્યાવરણ બચાવો
સાથે પર્યાવરણ બચાવાનો સંદેશ પણ આ ફોટો દ્વારા આપવામાં આવ્યો છે. આમાં વન્ય સંસ્કૃતિના મીનીએચર સ્વરૂપને બતાવામાં આવ્યું છે.

તોરણ
આ ઉત્સવમાં ખાસ નાળિયેરીના પાનમાંથી બનાવામાં આવતા તોરણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આ ફોટોમાં નાળિયેરીના પાનમાંથી સુંદર પોપટને બનાવવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
