નિપાહ વાયરસથી નથી ડરતાં આ દાદી, રહે છે 400 ચામાચિડિયાં જોડે
જ્યાં એક બાજુ દેશભરમાં નિપાહ વાયરસે આતંક મચાવ્યો છે, ત્યાં બીજી બાજુ ગુજરાતના 74 વર્ષીય આ દાદી 400 ચામાચિડિયાં જોડે રહે છે. ચામાચિડિયાંએ દાદીના ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે.
જ્યાં એક બાજુ દેશભરમાં નિપાહ વાયરસે આતંક મચાવ્યો છે, ત્યાં બીજી બાજુ ગુજરાતના 74 વર્ષીય આ દાદી 400 ચામાચિડિયાં જોડે રહે છે. ચામાચિડિયાંએ દાદીના ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે. લગભગ એક દશકાથી આ ચામાચિડિયાં દાદીના ઘરે જ રહે છે. જ્યારે આ મહિલાને પણ ચામાચિડિયાથી ફેલાતા નિપાહ વાયરસનો ડર નથી. તેઓ કહે છે કે ચામાચિડિયા જ મારો પરિવાર છે.
આવો જાણીએ આ મહિલા વિશે જેઓ નિપાહ વાયરસના કહેરની ચિંતા કર્યા વિના આ ચામાચિડિયાં સાથે રહી રઈ છે. કોણ છે આ બેટ વિમેન અને કેમ એમને ચામાચિડિયાં સાથે રહેવું પસંદ છે?

ચામાચિડિયાવાળાં બાથી ઓળખાય છે
અમદાવાદથી 50 કિમી દૂર આવેલ રાજપુર ગામમાં રહેતા 74 વર્ષીય શાંતાબેનને આ વિસ્તારના લોકો ચામાચિડિયાવાળાં બા તરીકે જાણે છે.

ઘરમાં રહે છે 400 ચામાચિડિયાં
શાંતાબેને જણાવ્યું કે જ્યારથી મેં આંગણામાં જમવાનું અને ઊંઘવાનું શરૂ કર્યું ત્યારથી જ ચામાચિડિયા મારા ઘરે વધુ રહેવા લાગ્યાં. એક દશકા પહેલાં ચામાચિડિયાએ એમના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું. જ્યારે એમના ઘરની કાચી દિવાલને એક સમૂહે પોતાનું ઘર બનાવ્યું હતું. બાદમાં એમની તાદાત વધતી ગઈ. ચામાચિડિયાના જુંડે ચારેય દિવાલને પોતાનો અડ્ડો બનાવી લીધો. શાંતાબેન બે માળ વાળી બિલ્ડિંગમાં રહે છે જેમાં ઉપરની છત પર ચામાચિડિયા રહે છે.

ચામાચિડિયા મારો પરિવાર છે
પતિના મૃત્યુ અને દીકરીઓના લગ્ન બાદ ચામાચિડિયા જ તેમની સાથે રહે છે. નિપાહ વાયરસ વિશે વાત કરતાં શાંતાબેન કહે છે કે આ બીમારી વિશે સાંભળ્યું છે પણ મને આનાથી કોઈ ડર નથી. આ ચામાચિડિયા મારો પરિવાર છે હું એક દશાથી એમની જોડે રહું છું. શાંતાબને પાસે ઘરે રહેનાર કોઈ નહોતું. કેમ કે તેમની ત્રણેય દીકરીઓના મેરેજ થઈ ગયા છે અને દીકરો મુંબઈ રહે છે. 30 વર્ષની ઉંમરે એમના પતિ કાનજીભાઈ પર વીજળી પડતા મૃત્યુ પામ્યા હતા. બાદમાં શાંતાબેને મહેનત મજૂરી કરીને બાળકોને મોટાં કર્યાં.

દુર્ગંધ હટાવવા માટે લીંબડો અને કપૂર સળગાવે છે
ચામાચિડિયાએ કરેલી ગંદકીને કારણે આવતી દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે તેઓ લીમડો અને કપૂર સળગાવે છે. ચામાચિડિયાને અહીંથી દૂર કરવાની વાત પર એમણે કહ્યું કે એમને ભગાવનાર હું કોણ હોઉં છું, એમણે જ્યારે જવું હે ત્યારે જતાં રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
