નાગના મોતના ગમમાં ચાર દિવસ બાદ જ નાગિને પણ દમ તોડ્યો
નાગના મોતના ગમમાં ચાર દિવસ બાદ જ નાગિને પણ દમ તોડ્યો
ફિરોઝાબાદઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં અંધવિશ્વાસનો એક એવો મામલો સામે આવ્યો છે, જે સાંભળી તમે પણ દંગ રહી જશો. જણાવી દઈએ કે અહીં ગ્રામીણ ઈચ્છાધારી નાગ-નાગિનની પૂજા કરવામાં લાગ્યા છે. જેની પાછળ ગ્રામીણોએ જે કહાની જણાવી છે તે ઘણી હેરાન કરનારી છે. ત્યારે આ મામલો હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પૂજા-અર્ચના કરવા લાગ્યા ગ્રામીણો
મામલો ફિરોજાબાદના પચોખરા પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. ગ્રામીણોનો દાવો છે કે અહીં નાગના મોતના વિયોગમાં એજ સ્થળે પાછલા ચાર દિવસથી બેઠેલી નાગિને પણ મંગળવારે દમ તોડી દીધો. ગ્રામીણોએ જ્યાં નાગને સળગાવીને દફનાવ્યો હતો, ત્યાં જ મૃત નાગિનને રાખી દીધી અને પૂજા-અર્ચના કરવા લાગ્યા ગ્રામીણોએ કહ્યું કે આ સ્થળે નાગ-નાગિનનું મંદિર બનાવવામાં આવશે.

નાગિને દૂધ ના પીધુ
ગ્રામીણો મુજબ પચોખરા ક્ષેત્રના એક ગામમા પહેલી ફેબ્રુઆરીએ ઘાંસ કાપતી મશીનમાં કપાઈને નાગનું મોત થઈ ગયું હતું. ખેડૂતો મૃત નાગને સળગાવીને દફનાવી દીધો, ત્યાં બાજુના જ દરમાંથી એક નાગિન નિકળી આવી અને બહાર આવીને બેસી ગઈ. જ્યારે ગ્રામીણોની નજર નાગિન પર પડી તો દૂધ પીવા માટે રાખવામાં આવ્યું પરંતુ નાગિને દૂધ ના પીધું

એક જ જગ્યાએ બેસી રહી
ગ્રામીણોએ જણાવ્યું કે ચાર દિવસ સુધી નાગિન એક જ જગ્યાએ બેસી રહી. મંગળવારે તેણે પણ દમ તોડી દીધો. તેના મોત બાદ ગ્રામીણોએ નાગના શવને જ્યાં દફનાવ્યો હતો ત્યાંથી કાઢી નાગિનના શવ સાથે રાખી દીધો અને પૂજા-અર્ચના કરવી શરૂ કરી દીધી. નાગિનના મરવાના અહેવાલ મળવા પર આજુબાજુના ગ્રામીણો ત્યાં પહોંચી રહ્યા છે. મૃત નાગ અને નાગિનની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ચઢાવો પણ ચઢાવી રહ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે જલદી જ તે જગ્યાએ ભગવાન શિવની સાથોસાથ નાગ-નાગિન મંદીર પણ બનાવવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
