તાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત, બનાવતાં લાગ્યા 114 વર્ષ
તાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત
આગરાઃ દુનિયાની 7મી અજાયબી તાજમહેલ પાસે જ વધુ એક લાજવાબ ઈમારત જોવા મળી છે. આ ઈમારત પાછલા 114 વર્ષથી બની રહી હતી, જેના નિર્માણ કાર્યમાં સફેદ સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈમારતના ગુંબજનો કળશ તડકામાં દૂરથી જ ચમકે છે, જેનું કારણ છે તેના પર લાગેલ હજારો કિલો સોનું. વર્ષ 1904માં કામ કરવા આવેલ મજૂરોની ચોથી પેઢી હવે આ ઈમારતને અંતિમ રૂપ આપી રહી છે.

સ્વામી બા ઈમારતમાં 5 પ્રકારના પથ્થરનો ઉપયોગ થયો
આગરામાં રાધાસ્વામી મતના સંસ્થાપક પૂરન ધની સ્વમી મહારાજની સમાધિના રૂપમાં સ્થાપિત આ ઈમારતનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. નિર્માતાઓએ આ બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં 5 પ્રકારના પથ્થરોનો ઉપયોગ કર્યો. જેમાં સૌથી વધુ સફેદ સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

400 કરોડમાં બની આ ઈમારત
સ્વામી બાગના ચેરમેન સંજય કપૂર મુજબ ઈમારતમાં લગભગ 400 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ ઈમારતના નિર્માણ કાર્યમાં તેમણે ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઈમારતનું મોટું કારણ છે ગુંબજ પર લાગેલ 155 કિલો સોનું. આને લોકો સ્વામી બાગના નામથી ઓળખે છે. બકૌલ સંજયે કહ્યું કે, 'સ્વામી મહારાજની જન્મજયંતિ ઓગસ્ટ મહિનામાં આવે છે માટે આ વર્ષે એ મહિને ઈમારતનું 99 ટકા કામ પૂરું કરી લેવામાં આવ્યું હતું. ગત ઓગસ્ટ સ્વામી મહારાજની 200મી જન્મ જયંતિ યુજવાઈ હતી.'

આવી રીતે સોનું લગાવાયું
આ ઈમારત બનાવવામાં 100થી પણ વધુ વર્ષ એટલા માટે લાગ્યાં કેમ કે આ ઈમારતમાં લગાવેલ સફેદ અને ગુલાબી રંગના સંગેમરમર મકરાના રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. લીલા રંગના સંગેમરમર વડોદરાથી લાવવામાં આવ્યા હતા. અબરી સંગેમરમર પાલી, જૈસલમેરથી લાવવામાં આવ્યા હતા. દારચીની પત્થર ગ્વાલિયર, પચ્ચીકારી અને ઝડાઈ માટે કીમતી પથ્થર અકીક, મરગઝ, સિમાક, રતક, ગવા, બિલ્લૌર, લાજવર્દ, ગૌરી, પિતોનિયા, ડૂંગાસરા, યશબ વગેરે દક્ષિણ ભારતથી લાવવામાં આવ્યા હતા. વર્ષોની મહેનત બાદ માત્ર મંદિરનો ગુંબજ જ તૈયાર થયો હતો. ગુંબજ પર 15 કિલો સોનાની પરત અને 140 કિલો સોનાની કોતરણી કરવામાં આવી છે.

દરરોજ 300 મજૂરોએ કામ કર્યું
ઈમારત સાથે જોડાયેલ અધિકારીઓનું કહેવું છે કે ગગન ચૂંબી આ ઈમારત બનાવવામાં દરરોજ 300 મજૂરોએ કામ કર્યું છે. આ ઈમારત 52 પિલોર પર બનાવવામાં આવેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
