ભગવાન બ્રહ્માએ કરી હતી ડાયનોસોરની શોધ, વેદોમાં છે ઉલ્લેખઃ વૈજ્ઞાનિકનો દાવો
ભગવાન બ્રહ્માએ કરી હતી ડાયનોસોરની શોધ, વેદોમાં છે ઉલ્લેખ
કેટલાક ભારતીય વૈજ્ઞાનિકોના એકથી બઢકર એક અનોખા દાવા દુનિયા આખીને હેરાન કરી રહ્યા છે. સાયન્સ કોંગ્રેસમાં સામેલ થયેલ આવા જ એક વૈજ્ઞાનિકે હવે એવો જ એક દાવો કર્યો છે. હજારો વર્ષ પહેલાં ડાયનોસોરની ઉત્પત્તી થઈ, ધીરે-ધીરે હવામાન બદલાયું, પૃથ્વીનું અનાવરણ બદલાયું અને ડાયનોસોરનો અંત આવ્યો. આ તો બધા જાણે જ છે. પણ શું કોઈ જાણે છે કે સૌથી પહેલા ડાયનોસોરને કોણે જોયાં હશે? કદાચ આપણે કોઈએ વિચાર પણ નહિ કર્યો હોય, પરંતુ એક વૈજ્ઞાનિકે આવો એક દાવો કર્યો છે જે અતિ રસપ્રદ છે.

વૈજ્ઞાનિકે કર્યો દાવો
પંજાબ યૂનિવર્સિટી સાથે જોડાયેલ એક ભૂ-વૈજ્ઞાનિક પણ અનોખો દાવો કરી ચર્ચામાં આવી ગયા છે. આશુ ખોસલા નામના આ જિયોલોજિસ્ટે દાવો કર્યો છે કે ડાયનોસોરની શોધ સૌથી પહેલા ભગવાન બ્રહ્માએ કરી હતી અને તેમણે વેદોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. આશુએ ફગવાડાની લવલી પ્રોફેશનલ યૂનિવર્સિટીમાં ચાલી રહેલ 106મા સાયન્સ કોંગ્રેસમાં પોતાનું એક રિસર્ચ પેપર રજૂ કર્યું છે.

25 વર્ષથી આ વિષય પર કરે છે રિસર્ચ
આશુ ખોસલા ચંદીગઢની પંજાબ યૂનિવર્સિટીમાં જિયોલોજી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છે. તેઓ ભારતમાં ડાયનેસોરની ઉત્પત્તિ અને અસ્તિત્વ પર પાછલા 25 વર્ષથી પણ વધુ સમયથી રિસર્ચ કરી રહ્યા છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું, 'ભગવાન બ્રહ્મા આ બ્રહ્માંડના સૌથી મહાન વૈજ્ઞાનિક હતા. તેઓ ડાયનોસોર વિશે જાણતા હતા અને વેદોમાં પણ તેનો સારી રીતે ઉલ્લેખ પણ કર્યો છે. એવું કંઈપણ નથી જેના વિશે આ પૃથ્વિના રચયિતા બ્રહ્મા ન જાણતા હોય, તેમને ડાયનોસોરના અસ્તિત્વ વિશે માહિતગાર હતા અને તેમણે આ વિશે વેદોમાં પણ ઉલ્લેખ કર્યો છે. રાજસોરસ નામના ડાયનોસોરની ઉત્પત્તી ભારતમાં જ થઈ હતી.'

બ્રહ્માએ આવી રીતે શોધ્યાં હતાં ડાયનોસોર
આશુ ખોસલાએ દાવો કર્યો કે તેમણે પોતાની ટીમ સાથે ગુજરાતના ખેડા જિલ્લામાં ભારતીય ડાયનોસોરના અવશેષોની ખોજ પણ કરી હતી અને સત્તાવાર રીતે તેને 'રાજાસોરસ નર્મદા એનસિસ' નામ પણ આપવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો, અમેરિકી અને બ્રિટિશર્સ આપણા વેદોમાંથી ડાયનોસોરનો કોન્સેપ્ટ લઈને ચાલ્યા ગયા અને આ વિશે તેમને જાણકારી મળી. ડાયનોસોરની પ્રજાતિ લગભગ 6.5 કરોડ વર્ષ પહેલા જ લપ્ત થઈ ગઈ હતી, પરંતુ વેદ લખતી વખતે ભગવાન બ્રહ્માને આ વિશે ખ્યાલ આવી ગયો કેમ કે આંખો બંધ કર્યા બાદ તેમને પોતાની અતુલનીય આધ્યાત્મિક તાકાતથી ડાયનોસોરની જાણકારી થઈ ગઈ હતી. દુનિયામાં લગભગ આ વાત કોઈને નહિ પચે, પરંતુ આ હકીકત છે કે તમામ વસ્તુ પછી ડાયનેસોર જ કેમ ન હોય તે બધાનો ઉલ્લેખ વેદોમાં છે. એટલું જ નહિ, ડાયનોસોર શબ્દની ઉત્પત્તી પણ સંસ્કૃત શબ્દ 'ડિનો'થી થઈ જેનો મતલબ ભયંકર થાય છે, જે બાદમાં ડાયન અને સોરમાં બદલી ગયો. સોર શબ્દ અસુરથી આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
