જો ઘરમાં ગરોળી જોવા મળે તો તમારી સાથે થઈ શકે આવું
જો ઘરમાં જોવા મળે ગરોળી તો તમારી સાથે થઈ શકે આવું, જાણો
હિંદુ માન્યતાઓમાં શકુન અને અપશકુનનું ઘણું મહત્વ છે. પ્રકૃતિ અને આપણી આસપાસ રહેતા જીવજંતુઓ પણ આપણને કેટલીય વાર શકુન અને અપશકુન વિશે સંકેત આપે છે. આવા સંકેતોને જાણીને આપણે કેટલાય પ્રકારની આફતોથી બચી શકીએ છીએ. શકુન શાસ્ત્રમાં એવા કેટલાય સંકેતો જણાવવામાં આવ્યા છે. જેમાંની એક છે ગરોળી. તો અહીં જાણો ગરોળી કઈ રીતે તમને ભવિષ્યમાં થનાર ઘટના વિશે સંકેત આપતી હોય.

શકુન શાસ્ત્રમાં છે ઉલ્લેખ
ઘરમાં અવારનવાર જોવા મળતી ગરોળી પણ ભવિષ્યમાં થનાર કેટલીય ઘટનાઓ વિશે સંકેતો આપતી હોય છે. જેનું વર્ણન શકુન શાસ્ત્રમાં મળી આવે છે. તો અહીં જાણીએ શકુન શાસ્ત્ર મુજબ ચિપકલી એટલે કે ગરોળી સાથે જોડાયેલા કેટલાક શકુન અને અપશકુન વિશે...

જમણા હાથમાં ગરોળી પડે તો?
ગરોળી કોઈપણ વ્યક્તિના માથા કે જમણા હાથ પર પડે તો તેના સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત છે પરંતુ જો ડાબા હાથ પર ગરોળી પડે તો સમજી લેવું કે તમને ધન હાની થશે.

ડાબા કાન પર ગરોળી પડે તો?
જો તમારા જમણા કાન પર ગરોળી પડે તો સમજી લેવું કે તમને ઘરેણાની પ્રાપ્તિના યોગ છે. પરંતુ જો ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વધારો થાય છે.

ડાબી બાજુથી ઉતરે તો
જો ગરોળી કોઈ વ્યક્તિની જમણી બાજુથી ચઢીને ડાબુ બાજુએ ઉતરે તો તેના પદમાં વૃદ્ધિ એટલે કે પ્રમોશન અને ધન લાભના યોગ બને છે.

નવા ઘરમાં પ્રવેશ કરતા દેખાય તો
નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ગૃહસ્વામીને જો ગરોળી મરેલી કે ધૂળ લાગેલી જોવા મળે તો તે ઘરમાં નિવાસ કરનાર લોકો રોગી હોય શકે છે, આવું અપશકુન શાસ્ત્રોમાં લખ્યું છે. આ અપશકુનથી બચવા માટે વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.

જમણી બાજુથી ગરોળી ઉતરે તો
જો ગરોળી કોઈ વ્યક્તિની ડાબી બાજુથી ચઢીને જમણી બાજુએથી ઉતરે છે તો એને પ્રમોશનની સાથે ધન લાભ પણ થાય છે.

ગરોળીનો અવાજ સંભળાય તો
શકુન શાસ્ત્ર મુજબ દિવસે ભોજન કરતી વખતે જો ગરોળીનો અવાજ સંભળાય તો તુરંત કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈપમ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જો કે આ ઘટના ભાગ્યે જ બને છે કેમ કે મોટાભાગે ગરોળી રાત્રે જ બોલતી હોય છે.

ગરોળી સંભોગ કરતી જોવા મળે તો
જો કોઈ વ્યક્તિ ગરોળીને સંભોગ કરતી જોઈ લે તો આ એ વાતનો સંકેત છે કે તેની મુલાકાત ટૂંક સમયમાં જ કોઈ જૂના મિત્ર સાથે થશે.

ગરોળી ઝઘડો કરતી જોવા મળે તો
જો બે ગરોલી ઝઘડો કરતી જોવા મળે તો સમજી લેવુ્ં કે આગામી સમયમાં તમારો કોઈ નજીકના વ્યક્તિ કે પ્રિયતમા સાથે ઝઘડો થવાની શક્યતા છે

સ્ત્રીના શરીરની જમણી બાજુએ પડે તો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
