દુનિયાની આ જગ્યાઓ પર મરવાની મનાઈ છે, થઈ શકે છે સજા
કહેવાય છે કે મોતને કોઈ રોકી શકતુ નથી. ગમે તેનું ગમે ત્યારે મોત થઈ શકે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મરવાની મનાઈ છે. અહીં મરવા પર સજા થઈ શકે છે.
નોર્વે, ઈટાલી, જાપાન અને ફ્રાન્સમાં કેટલાક એવા શહેરો અને જગ્યાઓ છે જ્યાં લોકોના મોત પર પ્રતિબંધ છે. જો કોઈ અહીં મરે તો તેના મોતની સજા થઈ શકે છે.

લોન્ગયરબીન - નોર્વે
નોર્વેના લોન્ગયરબીન શહેરમાં 70 વર્ષથી આ શહેરમાં કોઈને દફનાવવામાં આવ્યું નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ વિસ્તાર ખૂબ જ બરફ વાળો છે. અહીં શબ સડતા નથી અને નષ્ટ પણ થતા નથી. જેના કારણે આ મૃતદેહોમાં પરમાફ્રોસ્ટ નામનો વાયરસ ઉત્પન્ન થાય છે અને અહીં રહેતા લોકોને ગંભીર બીમારીનો ખતરો રહે છે. આ શહેરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને બીજા શહેરમાં લઈ જવામાં આવે છે, જેથી તે તેના જીવનનો અંતિમ સમય સારી રીતે પસાર કરી શકે.
ફાલ્સિયાનો ડેલ મૈસિકો - ઇટાલી
અહીં 2012માં એક કાયદા દ્વારા નાગરિકોને મરવા પર પ્રતિબંધ મુકાયો છે. અહીંનું કબ્રસ્તાન સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને હવે કોઈને દફનાવવાની જગ્યા બચી નથી. જેના કારણે મોટાભાગના નિવૃત લોકો મહાનગરપાલિકા વિસ્તારમાં રહે છે. અહીંના લોકોને નજીકના નગર મોંડારાગોનમાં દફનાવવામાં આવે છે.
ઇત્સુકુશિમા - જાપાન
આ જાપાનનું એક પવિત્ર સ્થળ છે. સરકારે આ સ્થળની પવિત્રતા જાળવવા 1878 થી મૃત્યુ અને જન્મ પર પ્રતિબંધ મૂક્યો છે. સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બીમાર લોકોને પણ આ સ્થાનની મુલાકાત લેવાની સંપૂર્ણ મનાઈ છે.
સાર્પોરેન્ક્સ - ફ્રાન્સ
ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા આ ગામમાં કબ્રસ્તાનમાં ભારે ભીડને કારણે મોત પર પ્રતિબંધ છે. જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરે છે તો તેને સખત સજા કરવાની જોગવાઈ છે.
સેલિયા - ઇટાલી
દક્ષિણ ઇટાલીમાં સ્થિત આ શહેરમાં મોટાભાગના લોકો 65 વર્ષથી વધુ ઉંમરના છે. આ શહેરમાં કોઈ પણ વ્યક્તિને બીમાર કે મૃત્યુ પામવાની પરવાનગી નથી. આ આદેશનો હેતુ લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો છે. જે લોકો નિયમિત ચેકઅપ ન કરાવે તેને દંડ ભરવો પડે છે.
લેન્ઝારોન - સ્પેન
1999માં દક્ષિણ સ્પેનિશ શહેરમાં કબ્રસ્તાનમાં જગ્યાની અછતને કારણે બીજું નવું કબ્રસ્તાન બનાવવામાં ન આવે ત્યાં સુધી લોકોને દફનાવવા પર પ્રતિબંધ મૂક્યો. મેયરે લોકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કહ્યું જેથી કોઈ જલ્દી મૃત્યુ ન પામે. તેમજ જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને અન્ય શહેરોમાં મોકલવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
