જાંબુડી ટામેટા અને કમળો ના થાય તેવા કેળા ખાવા તૈયાર થઇ જાવ
અજબ ગજબ ખાવાની વસ્તુઓ, જે તમને રાખશે સ્વસ્થ. પણ શું તમે આ વસ્તુ ખાવાની પસંદ કરશો? વધુ વાંચો અહીં...
વિજ્ઞાન હાલ હરણફાળ ભરી રહ્યું છે. રોજ રોજ તેવી નીતનવી શોધો થઇ રહી છે જે લોકોને ચોંકવી રહી છે અને તેમને નવી દુનિયા અને નવા સંશોધનોથી માહિતગાર કરી રહી છે. ત્યારે હાલ વૈજ્ઞાનિકો તેવી શાકભાજી વિકસાવી રહ્યા છે જેને ખાવાની તમે સ્વસ્થ રહી શકો. જેનેટિકલી મ્યુટેડ પ્રોડક્ટ હવે આવનારા સમયમાં તમને જોવા મળશે.
ત્યારે શું છે આ જેનેટિકલી મ્યૂટેડ પ્રોડક્ટ? તે અંગે વધુ જાણો અહીં. કેવી રીતે વૈજ્ઞાનિકો વિજ્ઞાનનો ઉપયોગ કરીને વનસ્પતિઓ, ફળ ફળાદી પર વિવિધ પ્રકારના રિસર્ચ કરી આવનારી પેઢીને કંઇક અલગ જ આપવા જઇ રહી છે. તે અંગે જાણો અહીં. જાંબુડી રંગના ટામેટાથી લઇને કમળો મટાડે તેવા કેળા જેવા કેટલાક અજબ ગજબ પણ સ્વાસ્થયવર્ધક શાકભાજી અને ફળો વિષે જાણો અહીં....

જાંબુડી ટામેટા
યુકેના કેટલાક વૈજ્ઞાનિકો ટામેટા પર પ્રયોગ કરી રહ્યા છે. તે ટામેટામાં એથોસાયનિન ઉમેરી રહ્યા છે. જેના કારણે તેનો રંગ જાંબુડી થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટામેટા ખાવાથી કેન્સર સેલનો વિકાસ થતો અટકી જશે. ત્યારે જો વૈજ્ઞાનિકોનો આ પ્રયોગ સફળ થયો તો ભવિષ્યમાં તમે લાલ ટામેટાની જગ્યાએ જાંબુડી ટામેટા ખાતા થઇ જશો.

ઝેરી કોબી
ચીનના કેટલાક વૈજ્ઞાનિકો તેવા કોબી બનાવ્યા છે જેમાં વીછીંના કેટલાક જીન્સ નાખવામાં આવ્યા છે. આ કોબીમાં તેવા ગુણ છે કે જે કોબીમાં થતી જીવાત દ્વારા ખાવામાં આવે તો તે મરી જાય પણ જો માણસ દ્વારા આ કોબી ખાવામાં આવે તો તેના ઝેરની અસર ના થાય.

રસીયુક્ત કેળા
રસીયુક્ત કેળા, નામ વાંચીને કેળા ખાવા પરથી મન ઉઠી જાય તેવા આ કેળા તમને હિપેટાઇટીસ બી અને કેલેરા જેવા રોગાથી મુક્તી આપશે. આ કેળામાં આ બન્નેની રસી નાખવામાં આવેલી હશે. જેથી કરી રોજ જો તમે એક કેળું ખાવ તો કમળો અને કોલેરા જેવા રોગ દૂર કરી શકાશે.

ચોરસ તડબૂચ
જાપાનમાં જ્યારે સૌથી પહેલા ચોરસ તડબૂચ બનાવવામાં આવ્યા ત્યારે શાકભાજી અને ખાવાની વસ્તુઓ પર કરવામાં આવતી વૈજ્ઞાનિક શોધો અંગે લોકો જાગૃત થયા અને તે પછી આ પ્રકારની શોધોમાં વધારો થવા લાગ્યા. આજે પણ અનેક વૈજ્ઞાનિકો ખાદ્ય ગણાતી આવી જ વસ્તુઓ પર વિવિધ રીતના પ્રયોગો કરી રહ્યા છે. જે જોતા તેવું કહેવું અયોગ્ય નથી કે આવનારા સમયમાં ખોરાકની વ્યાખ્યા જ બદલાઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
