દુનિયામાં બીજી વાર થઇ એડ્સની સફળ સારવાર, જાણો કેવી રીતે થયો ચમત્કાર
એડ્સ એક જીવલેણ રોગ છે, પરંતુ તાજેતરમાં જ લંડનના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેઓએ એચઆઇવી વાયરસથી પીડિત દર્દીનું સફળ સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને દુનિયાનો બીજો એચઆયવી મુક્ત દર્દી બનાવ્યો છે.
એડ્સ એક જીવલેણ રોગ છે, પરંતુ તાજેતરમાં જ લંડનના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેઓએ એચઆઇવી વાયરસથી પીડિત દર્દીનું સફળ સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ (અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ) કરીને તેને દુનિયાનો બીજો એચઆયવી મુક્ત દર્દી બનાવ્યો છે.

12 વર્ષ પહેલાં, આ ચમત્કાર 2007 માં બર્લિનના ડોકટરો દ્વારા કરાયો હતો, એચઆયવીથી પીડાતા ટિમોથી રે બાઉન નામના વ્યક્તિનો સફળ ઉપચાર આ થેરેપી દ્વારા થયો હતો. જેના પછી 'બર્લિન પેસન્ટ' તરીકે પણ ઓળખાયો. આ થેરાપી પછી, બાઉન હવે એડ્સથી છુટકારો મેળવ્યા પછી સફળ જીવન જીવે છે.
ડોકટરો મુજબ એચઆયવીથી પીડિત દર્દીના દરેક કિસ્સામાં, તે જરૂરી નથી કે આ ટ્રાન્સપ્લાન્ટ કામ કરે. જોકે આ થેરીપી ઘણા એચઆયવી પીડિત લોકોની સારવાર દરમિયાન નિષ્ફળ ગઈ છે.
કેવી રીતે થયો આ ચમત્કાર
લંડનના ડોકટરોએ એવો દાવો કર્યો છે કે એચઆઇવી પ્રતિરોધક ક્ષમતા રાખનાર વ્યક્તિનું 'બોન મેરો' (અસ્થિ મજ્જા) ચેપગ્રસ્ત વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એડ્સથી પીડિત વ્યક્તિના રોગપ્રતિકારક તંત્રમાં સુધારો થવા લાગ્યો છે, જેથી તેનું આરોગ્ય પહેલા કરતાં વધુ સારું દેખાયું. તપાસ કર્યા પછી, ડૉક્ટરોએ તેને એડ્સ મુક્ત જાહેર કર્યો. જો કે, આ દર્દીની ઓળખ હજુ સુધી જાહેર થઈ નથી. હાલમાં, તેને 'લંડન મરીજ' નામ આપવામાં આવ્યું છે.
18 મહિના દેખરેખમાં રાખવામાં આવ્યો
2003 માં લંડન દર્દીની એચઆયવી પૉઝીટીવ હોવાની પુષ્ટિ પછી, 2016 માં સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટેશન પછી, લંડન દર્દીને એચઆયવીની એન્ટીબાયોટીક દવાઓનું સેવન ત્રણ અઠવાડિયા સુધી ન કરવા દીધું. સામાન્ય રીતે, વાયરસની અસર ઘટાડવા માટે એચઆયવી દર્દીઓને દરરોજ એન્ટીબાયોટીક્સ ખાવાની જરૂર હોય છે. જો એચઆયવીના દર્દી દવાઓ બંધ કરે છે, તો વાયરસ બેથી ત્રણ અઠવાડિયામાં પાછો ફરવાનું જોખમ રહે છે.
લંડન દર્દીને ટ્રાન્સપ્લાન્ટેશન પછી 18 મહિના દવાઓ વગર નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો અને ડોકટરોને કોઈ પણ વાયરસનું જોખમ દેખાયું ન હતું. આ બાબત સામે આવવાથી એક વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં વૈજ્ઞાનિક એડ્સ જેવી જીવલેણ બીમારીનો ઉકેલ શોધી કાઢશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
