હિંદુ ધર્મમાં ફેરા વખતે કેમ વરરાજાની ડાબી બાજુ જ બેસે છે વધુ?
હિંદુ ધર્મમાં વિવાહનું મહત્વનું સ્થાન છે. આ ધર્મમાં લગ્નના દરેક રિવાજનું આગવું મહત્વ છે. પછી તે મંગળસૂત્ર હોય, સિંદુર હોય કે સાત ફેરા.
હિંદુ ધર્મમાં વિવાહનું મહત્વનું સ્થાન છે. આ ધર્મમાં લગ્નના દરેક રિવાજનું આગવું મહત્વ છે. પછી તે મંગળસૂત્ર હોય, સિંદુર હોય કે સાત ફેરા. હિંદુ ધર્મમાં ફેરા ફર્યા વિના લગ્નની વિધિ પૂર્ણ નથી થતી. સાત ફેરાને સાત જન્મો સાથે જોડાયેલા હોવાનું મનાય છે.
સામાન્ય રીતે તમે જોયું હશે કે લગ્નની વિધિ શરૂ થતા પહેલા કન્યા, વરરાજાની જમણી બાજુ બેસે છે, પરંતુ ત્રીજા કે ચોથા ફેરા બાદ તે વરરાજાની જમણી બાજુ આવીને બેસે છે. શું તમને ક્યારેય આ સવાલ થયો છે કે ત્રીજા કે ચોથા ફેરા બાદ જ કન્યા કેમ વરરાજાની ડાબી બાજુ બેસે છે. ચાલો આજે જાણી શું છે કારણ?
સૌથી પહેલા વાત કરીએ તો હિંદુ લ્ગન વિધિમાં વરરાજાને કન્યાની જમણી બાજુ પેસાડવામાં આવે છે. અને આ પરંપરા આજીવન ચાલતી રહે છે. દરેક ધાર્મિક વિધિમાં પત્ની પતિની ડાબી બાજુ જ બેસે છે. એટલે જ પત્નીને 'વામાંગી’ પણ કહે છે.

જ્યોતિષ અનુસાર
તેનું કારણ જણાવતા જ્યોતિષ શાસ્ત્રીઓ કહે છે કે પત્નીનું સ્થાન પતિની ડાબી બાજુ હોય છે, કારણ કે શરીર અને જ્યોતિષ બંને વિત્રાનમાં પુરષના જમણા અને સ્ત્રીના ડાબા ભાગને શુભ તેમજ પવિત્ર મનાયો છે.

હસ્ત રેખા અનુસાર
હસ્ત રેખા શાસ્ત્રમાં પણ મહિલાઓનો ડાબો અને પુરુષોનો જમણો હાથ જોવામાં આવે છે. શરીર વિજ્ઞાન અનુસાર મનુષ્યના શરીરનો જમણો ભાગ મગજની રચનાત્મક્તા અને ડાબો ભાગ તેના કર્મનું પ્રતીક છે.

માનવ સ્વભાવ અનુસાર
બધા જ માને છે કે સ્ત્રીનો સ્વભાવ મમતા અને પ્રેમભર્યો હોય છે, તેમની અંદર રચનાત્મક્તા હોય છે, એટલે જ સ્રીનું ડાબી તરફ હોવું પ્રેમ અને રચનાત્મક્તાની નિશાની છે. તો પુરુષ હંમેશા જમણી તરફ હોય છે કકારણ કે આ પ્રમાણ છે કે તે શૂરવીર અને દ્રઢ હશે. પૂજાપાછ કે શુભ કર્મમાં તે દ્રઢતાથી હાજર રહેશે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય દ્રઢતા અને રચનાત્મક્તાના સાથે મળીને પૂર્ણ થાય ત્યારે તેમાં સફળતા મળવી નક્કી જ છે.

ધાર્મિક કારણ
હિંદુ ધર્મમાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનું સ્થાન સર્વોપરિ છે. શાસ્ત્રોમાં હંમેશા લક્ષ્મીજીનું સ્થાન વિષ્ણુની ડાબી બાજુ હોવાનો જ ઉલ્લેખ છે. એટલે જ હિંદુ વિવાહમાં ફેરા બાદ કન્યાનું સ્થાન ડાબી બાજુ હોય છે.

ક્રિશ્ચિયન વિધિમાં
એવું નથી કે સ્ત્રીના ડાબી બાજુ રહેવાની પરંપરા ફક્ત હિંદુ પરંપરામાં જ છે. ક્રિશ્ચિયન લગ્નમાં પણ દુલ્હન હંમેશા પુરુષની ડાબી બાજુ ઉભી રહે છે. જેના અનેક ધાર્મિક અને સામાજિક કારણ છે.

સુરક્ષા માટે
ઈસાઈ પરંપરામાં પણ પુરુષ રક્ષક અને શક્તિનો પ્રતીક મનાયો છે. એટલે જ કહેવાય છે કે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જ્યારે રાજ્યોમાં કબીલાઓના અંદર અંદર યુદ્ધ ચાલતા રહેતા ત્યારે સ્ત્રીની રક્ષા કરવાની જવાબદારી પુરુષોની રહેતી હતી. ક્યારેક હુમલો થવાની શક્યતા પર પુરુષ પોતાની તલવારથી શત્રુને રોકી શકે અને પત્ની ઘાયલ ન થાય, લડવા માટે જમણો હાથ મુક્ત રાખવા પણ પત્નીને ડાબી બાજુ ઉભી રખાતી હતી.

માન્યતાઓ
કેથલિક માન્યતા અનુસાર સ્ત્રી ડાબી બાજું હોવાનું કારણ છે કે તે વર્જિન મેરીની નજીક રહે અને તેના કૌમાર્યની પવિત્રતા યથાવત્ રહે.

સામાજિક કારણ
તો બ્રિટન સહિતના બીજા દેશોમાં પ્રથા ચાલી આવી છે કે ક્વીન સર્વોચ્ચ સત્તા પર રહી છે તો ક્વીને હંમેશા જમણી બાજુ રહેવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
