Mantra Effect: જાણો ક્યારે અને કેમ નથી થતી મંત્ર જાપની અસર
તમે હંમેશા કેટલાક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લાખ મંત્ર જાપ કર્યા પરંતુ તેની કોઈ અસર નથઈ. મંત્ર જાપ કર્યા છતાંય મુસીબત ટળી નથી.
તમે હંમેશા કેટલાક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લાખ મંત્ર જાપ કર્યા પરંતુ તેની કોઈ અસર નથઈ. મંત્ર જાપ કર્યા છતાંય મુસીબત ટળી નથી. મંત્રનો પ્રભાવ ન પડવાના અનેક કારણ છે. કોઈ પણ મંત્ર ત્યારે જ અસર કરે છે જ્યારે યોગ્ય સમય, યોગ્ય પ્રમાણ અને સાચા ઉચ્ચારણ સાથે તેનો જાપ કરવામાં આવે. સાથે જ દરેક મંત્ર કોઈને કોઈ દેવી દેવતા સાથે જોડાયેલો હોય છે. એટલા માટે જાપ કરવા દરમિયાન હાર પણ તે જ દેવતા માટે લેવો જોઈએ. મંત્રજાપ દરમિયાન માળા કઈ આંગળી કે અંગુઠાથી આગળ વધારી તે પણ મહત્વનું છે.
વાંચો: ઘરની દિશાઓમાં વાસ્તુ દોષ હોય તો શું કરવું જોઈએ?

માળા ફેરવવાની સાચી રીત કઈ ?
મંત્ર જાપમાં માળા સૌથી મહત્વની છે. માળા જપતા સમયે આંગળીઓ એકબીજાને અડે છે. આંગળીના વચ્ચે છિદ્રમાં જગ્યા ન રહે. માળામાં એક સુમેરુ હોય છે, જ્યાંથી માળા શરૂ થાય છે. અને ફરીને ત્યાં જ સમાપ્ત થાય છે. માળા ફેરવતા સમયે સુમેરુ ઓળંગવો ન જોઈએ. એક માળા પૂર્ણ થયા બાદ ત્યાંથી જ ઉંધી દિશામાં જાપ શરૂ કરવો જોઈએ. જે હાથમાં માળા હોય તે હાથ હ્રદયની નજીક હોવો જોઈએ અને કપડાથી ઢાંકેલો હોવો જોઈએ. માળા જાપ માટે ખાસ પ્રકારની થેલી પણ આવે છે, તેનો ઉપયોગ કરી શકાય. જાપની ગણતરી દરમિયાન અક્ષત, કોઈ અનાજ, ચંદન કે માટીનો ઉપયોગ ન કરવો જોઈએ.

જાપ માટે કઈ આંગળીનો ઉપયોગ કરવો?
માળા ફેરવવામાં આંગળી પણ અત્યંત મહત્વની છે. દરેક આંગળી દ્વારા જાપનું જુદુ જુદુ મહત્વ છે. શાંતિ, સમર્થન, સ્તંભન, વશીકરણ મંત્રના જાપ દરમિયાન માળાને તર્જનીની વચ્ચે રાખી અંગૂઠાના આગળના ભાગથી ફેરવવી જોઈએ. આકર્ષણ, કાર્યો માટે અંગૂઠા અને અનામિકા દ્વારા માળા ફેરવવી જોઈએ. વિદ્વેષણમાં અંગૂજા અને તર્જની દ્વારા તો મારણ કાર્ય માટે અંગૂઠા અને કનિષ્ઠિકા આંગળી દ્વારા માળા ફેરવવી જોઈએ.

મિશ્રિત પદાર્થો ધરાવતી માળાથી જાપ ન કરવો જોઈએ
મંત્ર જાપ માટે ઉપયોગમાં લેવાતી માળા પસંદ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારના મંત્રનો જાપ કરતા સમયે એવી માળા પસંદ કરો જે એક પ્રકારના પદાર્થથી બનેલી હોય. મિશ્રિત પદાર્થોવાળી માળાથી જાપ ન કરવો જોઈએ. કેટલીકવાર સ્ફટિકની સાથે સાથે રૂદ્રાક્ષના દાણા ભેળવેલી માળા પણ જોવા મળે છે. આવી માળાનો ઉપયોગ વર્જિત છે. માળામાં 108 મણકા પૂરા હોય અને એક સુમેરુ હોવો જોઈએ. એક પણ મળકો તૂટેલો ન હોવો જોઈએ. તમામ મણકાની સાઈઝ એક સરખી હોવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
