vijayadashami 2023: દશેરા પર બનશે ત્રણ રાજયોગ, જાણો તારીખ, મુહૂર્ત અને પૂજાવિધિ
vijayadashami 2023: દર વર્ષે આસો માસના શુક્ત પક્ષની એકમથી નોમની તિથિ સુધી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેને માતાજીના નોરતા કહેવામાં આવે છે. જે બાદ દશમની તિથિ પર દશેરા કે વિજ્યા દશમીની ઉજવણી કરવામાં આવે છે.
અંગ્રેજી કેન્ડર મુજબ આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. આવા સમયે, વિજયાદશમી એટલે કે દશેરા 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષીઓના મતે દશેરા પર વૃદ્ધિ યોગ સહિત ત્રણ વિશેષ યોગ રચાઈ રહ્યા છે.

શુભ મૂહૂર્ત - પંચાંગ અનુસાર, દશેરાની તારીખ 23 ઓક્ટોબરે સાંજે 05:44 કલાકે શરૂ થશે, અને 24 ઓક્ટોબરે બપોરે 03:14 કલાકે સમાપ્ત થશે.
વિજય મુહૂર્ત - દશેરાના દિવસે, વિજય મુહૂર્ત બપોરે 01:58 થી 02:43 કલાક સુધી છે.
પૂજાનો શુભ સમય - દશેરાના દિવસે પૂજાનો સમય બપોરે 01:13 થી 03:18 સુધીનો છે. પૂજાનો સમયગાળો 2 કલાક 15 મિનિટનો છે.
વૃદ્ધિ યોગ - દશેરાના દિવસે વૃદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે બપોરે 03:40 વાગ્યે વૃદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જે બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે બપોરે 12:14 સુધી રહેશે. વૃદ્ધિ યોગ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રવિ યોગ - દશેરા પર રવિ યોગ રચાઈ રહ્યો છે. આ યોગની રચના સવારે 06:27 થી શરૂ થાય છે અને બપોરે 03:28 સુધી ચાલુ રહેશે. આ પછી, તે સાંજે 06:38 થી છે, જે રાતોરાત છે.
કરણ યોગ - ગર કરણનું નિર્માણ દશેરાની તારીખે બપોરે 03.14 વાગ્યા સુધી થઇ રહ્યું છે. આ પછી આખી રાત સુધી આ યોગ સક્રિય રહેશે. વણજ અને ગર કરણ યોગ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
- સૂર્યોદય - 06:27 am
- સૂર્યાસ્ત - 05:43 pm
પંચાંગ
- બ્રહ્મ મુહૂર્ત - 04:45 થી 05:36
- અભિજીત મુહૂર્ત - 11:43 am થી 12:28 pm
- સંધ્યાકાળનો સમય - સાંજે 05:43 થી 06:09 સુધી
- નિશિતા મુહૂર્ત - બપોરે 11:40 થી 12:31 સુધી
અશુભ સમય
- રાહુકાલ - બપોરે 02:41 થી 04:19 સુધી
- ગુલિક કાલ - બપોરે 12:05 થી બપોરે 1:30 સુધી
- દિશા શૂલ - ઉત્તર
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
