આજે શુક્ર થશે વક્રી, જાણો તમારા પર શું અસર થશે
આજે શુક્ર થશે વક્રી, જાણો તમારા પર શું અસર થશે
નવી દિલ્હીઃ શુક્ર ગ્રહ ભોગ વિલાસની સાથે દાંપત્ય સુખનો પ્રતિનિધિ ગ્રહ છે. આ ગ્રહ આજે બપોરે 12.17 વાગ્યે વક્રી થઈ રહ્યો છે. શુક્ર પોતની રાશિ વૃષભમાં 25 જૂન સુધી વક્રી રહેશે. એટલે કે 44 દિવસ શુક્રનો વક્રત્વ કાળ રહેશે. શુક્રના વક્રી થવાના કારણે તેના શુભ પ્રભાવોમાં કમી આવે છે. વ્યક્તિના ભોગ વિલાસના સાધન-સંસાધનોમાં કમી આવે છે અને દાંપત્ય જીવનમાં ટકરાવ, પરેશાની વધે છે. જે લોકોનું દાંપત્ય જીવન પહેલેથી સંકટમાં છે, તેમના તલાકની નોબત આવી શકે છે.

વક્રી શુક્રની અસર
શુક્રના વક્રી થવાથી વ્યક્તિ પરિવાર સાથે અલગાવ કરવા લાગે છે. તે પરિજનો સાથે ખાસ કરી જીવનસાથી સાથએ સામંજસય નથી બનાવી શકતો. વૈવાહિક જીવનમાં નાની-નાની વાતો પર મતભેદ ઉભરે છે અને વ્યક્તિ એટલો વધુ પરેશાન થઈ જાય છે કે તે વિવાહ વિચ્છેદ કરવાનું વિચારવા લાગે છે. જે લોકોની જન્મ કુંડળીમાં શુક્ર જન્મના સમયથી જ વક્રી છે તેનું દાંપ્ય જીવન નિશ્ચિત રૂપે સંકટગ્રસ્ત રહે છે. આા વ્યક્તિને યૌન સંબંધ બનાવવામાં અરુચિ થવા લાગે છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે, તેમના પ્રેમ સંબંધ પણ ટૂટી શકે છે. અથવા પ્રેમી-પ્રેમિકાઓ વચ્ચે કોઈ ત્રીજો આવવાથી સંબંધોમાં દૂરી આવી જાય છે. ભોગ વિલાસના સાધન, ભૌતિક સુખોમાં કમી આવે છે. આ પ્રકારે કહી શકાય છે કે શુક્રની વક્રી સ્થિતિ વ્યક્તિના જીવનમાં ખુશીઓની કમી કરે છે.

શુક્ર વિશે
શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી હોય ચે. આ મીન રાશિમાં ઉચ્ચ સ્તરનો હોય છે. જ્યારે આ ગ્રહ વક્રી થાય છે તો મીન રાશિ વાળાને સકારાત્મક અને કન્યા રાશિવાળાને નકારાત્મક પ્રભાવ આપે છે. પરંતુ શઉક્ર જ્યારે અન્યરાશિઓમાં ભ્રમણ કરે છે તો તેમનું આ રાશિવાળા લોકો માટે અલગ ફળ હોય છે. કેમ કે વર્તમાનમાં શુક્ર પોતાની જ રાશિમાં વૃષભમાં ચાલી રહ્યો છે અને તેમાં વક્રી થઈ રહ્યો છે તો વૃષભ રાશિવાળા પર સૌથી વધુ પ્રભાવ વક્રત્વનો થનાર છે.

વક્રી શુક્રના દુષ્પ્રભાવ કેવી રીતે દૂર કરવા
- શુક્રની શાંતિના ઉપાય કરવાથી વૈવાહિક સુખ પર આવેલ સંકટ ટળી જાય છે.
- શુક્રની વક્રી સ્થિતિમાં જાતકને પોતાની પ્રવૃત્તિ સાત્વિક રાખવાની છે. આહાર-વિહાર-વિચાની શુદ્ધતા જરૂરી છે.
- શુક્રના મંત્ર ઓમ શુક્રાય નમઃ અથવા શુક્રના તાંત્રિક મંત્ર ઓમ ઉં દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ ની એક માળા જાપ નિયમિત કરો. સ્ફટિકની માળાથી જાપ કરો.
- ચાદી, સફેદ વસ્ત્ર, ચોખા, દૂધ, દહી, પનીરનું દાન કરો.
- શુક્રવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં ગાયનું દૂધ નાખી સ્નાન કરો.
- શુક્રવારે સફેદ ગાયને લોટ ખવડાવો.
- શ્રૃંગારની વસ્તુઓ કન્યાને દાન આપવાથી દાંપત્ય જીવનમાં શાંતિ રહે છે.
- શ્રી સૂક્તનો નિયમિત પાઠ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
