Vastu Tips : વધી રહ્યું છે દેવું? આ ઉપાયોથી મળશે છુટકારો
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ધનના અવરોધ દૂર માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાં ઘણી એવી વસ્તુઓ એવી છે જેના કારણે ધનમાં ઘટાડો થાય છે અને દેવામાં વધારો થાય છે.
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ધનના અવરોધ દૂર માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાં ઘણી એવી વસ્તુઓ એવી છે જેના કારણે ધનમાં ઘટાડો થાય છે અને દેવામાં વધારો થાય છે. આવા સમયે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી તમાને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

તૂટેલા વાસણ માનવામાં આવે છે અશુભ
જો તમારા ઘરમાં તૂટેલા વાસણ હોય તો તેને તરત જ બહાર કાઢો. ઘણીવાર લોકો ઘરના માળીયા પર તૂટેલા વાસણ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની સમૃદ્ધિ માટે તૂટેલા વાસણ રાખવા અશુભ માનવામાં આવે છે.
ઘરમાં તૂટેલા વાસણો ન રાખવા જોઇએ. આના કારણે પણ દેવું વધી શકે છે. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે, ખાવાના વાસણો બિલકુલ તુટેલા ન હોવા જોઈએ. ઘણી વખત ઘરના સ્ટોર રૂમમાં તૂટેલા વાસણો રાખવામાં આવે છે. આવું કરવું વાસ્તુની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ છે અને તમારા ખરાબ સમયને આમંત્રણ આપવા જેવું છે. તૂટેલું વાસણ એ ગરીબીની નિશાની છે.
ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી
દિવાલ પર લટકતી ઘડિયાળ દરેકના ઘરમાં હોય છે. વાસ્તુમાં ઘડિયાળ સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડેલી હોય અથવા કામ ન કરતી હોય, તો તે ઘર પણ નિર્જીવ બની જાય છે. રોગ હંમેશા ત્યાં રહે છે અને પૈસાની પણ તંગી રહે છે, તેથી ઘરની અંદર ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ.
તૂટેલો અરીસો ન રાખવો
તૂટેલો અરીસો પણ દેવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેને ઘરની બહાર ફેંકી દેવો જોઇએ. જો તમે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ રાખો છો તો તેનો અરીસો બેડની સામે ન રાખવો જોઈએ. જો ઘરની અલમારીમાં અરીસો હોય તો તેને ઢાંકીને રાખવો. રૂમમાં કાટવાળો કે તૂટેલા કાચ ન લગાવવા જોઈએ.
તૂટેલા ફર્નીચર ઘરમાં ન રાખવા
તૂટેલા ફર્નીચરને ઘરમાં ન રાખવા જોઈએ, સ્ટોરમાં પણ તેને ન રાખવા જોઇએ. આ અશુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. પરિવારના સભ્યોમાં માનસિક તણાવ રહે.
ઘરમાં ક્યારેય તૂટેલા ખાટલા ન હોવા જોઈએ. જેના કારણે વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવે છે. ઘરમાં શાંતિ નથી રહેતી અને લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
