Vastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ બાબતોનુ ધ્યાન રાખો
ખોટુ ફર્નીચર કે ખોટી દિશામાં રાખવામાં આવેલ ફર્નીચર તમારી બધી વેલ્થને ચોપટ કરી શકે છે. આવો જાણીએ ફર્નીચર સાથે જોડાયેલ અમુક ગોલ્ડન રૂલ્સ..
નવી દિલ્લીઃ ફર્નીચર કોઈ પણ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. ઘરના પ્રત્યેક રૂમથી લઈને આંગણુ, બાલકની, છત, ગેરેજ બધી જગ્યાએ કોઈને કોઈ ફર્નીચર હોય છે. માટે વાસ્તુશાસ્ત્રમાં પણ યોગ્ય ફર્નીચર માટે ઘણા બધા દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. કયા રૂમમાં કેવુ અને કેટલુ ફર્નીચર હોવુ જોઈએ. કઈ ધાતુ કે લાકડુ હોવુ જોઈએ, કયુ લાકડુ ન હોવુ જોઈએ જેવી તમામ બાબતો જણાવવામાં આવી છે. ફર્નીચરને વાસ્તુમાં એટલા માટે વધુ મહત્વ આપવામાં આવ્યુ છે કારણકે આનાથી આપણા સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા, માનસિક સુખ-શાંતિ, પારિવારિક સામંજસ્ય જેવી અનેક વાતો નક્કી થાય છે. ખોટુ ફર્નીચર કે ખોટી દિશામાં રાખવામાં આવેલ ફર્નીચર તમારી બધી વેલ્થને ચોપટ કરી શકે છે. આવો જાણીએ ફર્નીચર સાથે જોડાયેલ અમુક ગોલ્ડન રૂલ્સ..

ફર્નીચર શુભ દિવસોમાં ખરીદવુ જોઈએ
- સૌથી પહેલી વાર ઘરમાં વધુ પડતુ ફર્નીચર ન હોવુ જોઈએ. કોઈ પણ રૂમમાં જરૂરિયાત કરતા વધુ અને રૂમમાં જગ્યાની સરખામણીમાં ફર્નીચરની માત્રા વધુ ન હોવી જોઈએ.
- ઘણા લોકો નાના-નાના રૂમમાં મોટા મોટા સોફા, સેન્ટર ટેબલ વગેરે રાખે છે જે રૂમમાં વાસ્તુને ખરાબ કરી દે છે. આનાથી એ રૂમમાં નકારાત્મક ઉર્જાની ભરમાર થઈ જાય છે. ફર્નીચર શુભ દિવસોમાં ખરીદવુ જોઈએ.
- મંગળવાર, શનિવાર, અમાસ, અષ્ટમી તિથિ કે કૃષ્ણ પક્ષમાં ફર્નીચર ક્યારેય ન ખરીદવુ જોઈએ. આ દિવસે ખરીદેલુ ફર્નીચર અશુભ ગ્રહોની નકારાત્મકતા પોતાની સાથે ઘરમાં લાવે છે.

ઈંડાકાર ડાયનિંગ ટેબલ કેશ ફલો રોકે છે
- ફર્નીચર જે લાકડાથી બનેલુ હોય તેનો પણ ખૂબ પ્રભાવ પડે છે. ફર્નીચર હંમેશા સીસમ, અશોક, સાગવાન, સાલ, અર્જૂન કે લીમડાના લાકડાથી બનેલુ હોવુ જોઈએ. પીપળો, વડ, ચંદનનુ ફર્નીચર ન હોવુ જોઈએ.
- હલકા ફર્નીચર હંમેશા ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવા જોઈએ. જ્યારે ભારે ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. ફર્નીચરના કૉર્નર ગોળ હોવા જોઈએ.
- અણીવાળા કૉર્નર નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે પરંતુ ડાયનિંગ ટેબલ હંમેશા ચોરસ આકારનુ હોવુ જોઈએ. ઈંડાકાર ડાયનિંગ ટેબલ કેશ ફલો રોકે છે અને તેના પર ભોજન કરનાર પરિવારને પરસ્પર બનતુ નથી.

ડલ અને બોરિંગ રંગવાળા ફર્નીચર નકારાત્મક ઉર્જા લાવે છે
- સ્ટીલના ફર્નીચર હાલમાં ચલણમાં છે પરંતુ આ ધાતુના ફર્નીચર ઘરો માટે સારા નથી માનવામાં આવતા. સ્ટીલના ફર્નીચર ઓફિસ માટે યોગ્ય નથી હોતા.
- ફર્નીચર ખીલેલા રંગોવાળા હોવા જોઈએ. ડલ અને બોરિંગ રંગવાળા ફર્નીચર નકારાત્મક ઉર્જા લાવે છે અને તમારો મૂડ પણ ખરાબ કરી શકે છે.
- સમ સંખ્યામાં ખૂણાવાલા ફર્નીચર શુભ માનવામાં આવ્યા છે. વિષમ સંખ્યાવાળા ફર્નીચર અશુભ હોય છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
