જ્યોતિષ: મની પ્લાન્ટ લગાવો અને થઈ જાવ માલામાલ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટનો છોડ તમારા ઘરમાં વાવવાથી ધન-ધાન્યની ક્યારેય ખોટ આવતી નથી.
વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં મની પ્લાન્ટનો છોડ વાવો તો તમારા ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ વર્તાતી નથી. ઉપરાત ઘરના વાસ્તુ દોષમાં પણ રાહત મળે છે. પરંતુ તે માટેની શરત છે કે, તે સાચી દિશામાં વાવેલો હોવો જોઈએ.

મની પ્લાન્ટ અને બુધ ગ્રહ સાથેનો સંબંધ
મની પ્લાન્ટનો છોડ ધનદાયક હોય છે, ઉપરાંત તેનો રંગ પણ લીલો હોય છે. લીલો રંગ અને ધન બંને વસ્તુઓ બુધ ગ્રહ સાથે જોડાયેલા છે. જેને કારણે આ છોડને બુધવારના દિવસે રેવતી નક્ષત્રમાં વાવવું લાભકારી છે.
છોડ વાવવાની રીત અને કાળજી
મની પ્લાન્ટની વેલ કયારેય જમીન પર નીચે લટકતી ન હોવી જોઈએ, આ વેલને દોરીને સહારે ઉપર ચઢાવવી જોઈએ. મની પ્લાન્ટનો છોડ ક્યારેય ઘરની બહાર ન વાવવો. તેને હંમેશા ઘરની અંદર વાવજો જોઈએ. આ છોડને નિયમિત પાણી પાવવું, જેથી તે સુકાઈ ન જાય. મની પ્લાન્ટના પાન સુકાવવા કે સફેદ પડવા અશુભ મનાય છે. જો પાંદડા વધુ સુકાઈ ગયા હોય કે સફેદ પડી ગયા હોય તો તે છોડને કાઢી નાખી બીજો નવો છોડ વાવવો જોઈએ.

મની પ્લાન્ટ કઈ દિશામાં ન વાવવો
પૂર્વ અને પશ્ચિમ દિશા મનીપ્લાન્ટ વાવવા માટે યોગ્ય દિશા મનાતી નથી. કારણકે તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવે છે, ઉપરાંત ઘરના સભ્યોમાં કંકાશ વધે છે. ઉપરાંત ઘરનો ઈશાન ખૂણો પણ મની પ્લાન્ટ લગાડવા માટે યોગ્ય નથી, કારણ કે તેનાથી તમને આર્થિક હાનિ થશે અને સંબંધોમાં હંમેશા ખટપટ ચાલ્યા કરે છે, ઘરના સભ્યોનુ સ્વાસ્થ્ય વારંવાર બગડેલુ રહે છે.

મની પ્લાન્ટ માટે યોગ્ય દિશા
ઘરનો અગ્નિ ખૂણો, પૂર્વ-દક્ષિણ મની પ્લાન્ટ લગાડવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. મની પ્લાન્ટમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને ઉત્તર દિશા જળ સાથે સંબંધ ધરાવે છે. પરિણામે ઘરનીઉત્તર દિશામાં પણ મનીપ્લાન્ટ વાવવો લાભપ્રદ ગણાય છે.

મની પ્લાન્ટના લાભ
ઘરમાં લગાવેલા મની પ્લાન્ટ પર નિયમિત પૂજા દરમિયાન વપરાયેલું જળ ચઢાવવાથી ઘરમાં ધનની સ્થિતિમાં સુધારો આવે છે. જે ઘરમાં મની પ્લાન્ટ વાવેલ હોય તે ઘરના વાસ્તુ દોષમાં કમી આવે છે અને કુટુંબમાં સુખ અને સમૃધ્ધિ જળવાઈ રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
