Tulsi Puja: તુલસી વધે છે સુખ-સમૃદ્ધિ, તો પછી કેમ ઘરની બહાર થાય છે તેની પૂજા?
તુલસીનો છોડ ઘરના આંગણામાં કે ઘરની બહાર કે ઘરની બાલ્કનીમાં લગાવવામાં આવે છે. તેને ઘરની અંદર રાખવામાં આવતો નથી. જાણો કારણ.
Tulsi Puja: તુલસીને માતાનુ સન્માન મેળેલુ છે. શિયાળો હોય કે ઉનાળો, લોકો તુલસીના પાનની ચા પીવે છે, તુલસીનો ઉપયોગ અનેક સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. ધર્મમાં જણાવ્યા મુજબ તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે અને જ્યાં સુધી તેમની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવામાં આવે ત્યાં સુધી તેની પૂજા અધૂરી માનવામાં આવે છે. જો કે તુલસીનો ઉપયોગ દરેક પૂજામાં કરવામાં આવે છે પરંતુ તુલસીનો છોડ ઘરના આંગણામાં કે ઘરની બહાર કે ઘરની બાલ્કનીમાં લગાવવામાં આવે છે. તેને ઘરની અંદર રાખવામાં આવતો નથી.

ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી?
જે છોડ આટલો પવિત્ર છે તેને ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી? વાસ્તવમાં, માન્યતા મુજબ તુલસીના કારણે શૈતાની શક્તિ અને નકારાત્મક વસ્તુઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. તેથી જ તુલસીને પ્રવેશદ્વાર કે આંગણા કે બહાર રાખવામાં આવે છે. જેથી ઘરમાં આવતી કોઈ પણ બલાઓ કોઈપણ દિશામાંથી પ્રવેશ ન કરી શકે.

ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે
એટલુ જ નહિ તુલસીના પાનમાંથી ખૂબ જ સુંદર સુગંધ આવે છે, જેના કારણે ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે છે, જો આ છોડને ઘરના કોઈપણ ખૂણામાં રાખવામાં આવે તો તેની સુગંધ આખા ઘરમાં પહોંચી શકતી નથી. ઘરની બહાર તુલસીનો છોડ લગાવવાનુ આ પણ એક મોટુ કારણ છે. તુલસી માતા ભગવાન વિષ્ણુના અવતાર શાલિગ્રામની પત્ની છે. એટલા માટે જે ઘરમાં માતા તુલસીનો વાસ હોય છે ત્યાં પતિ-પત્ની ખૂબ જ ખુશ રહે છે. જો તેમની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો ઘરમાંથી લક્ષ્મીજીની કૃપા ક્યારેય ઓછી થતી નથી કારણ કે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે.

આ દિશામાં લગાવો તુલસીનો છોડ
તુલસીનો છોડ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ પરંતુ જો તમે તેને ત્યાં લગાવી ના શકતા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં પણ રાખી શકો છો. છોડને જ્યાં સીધો સૂર્યપ્રકાશ મળે ત્યાં લગાવો, છોડની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ. તુલસીના છોડને જળ ચઢાવવુ ખૂબ જ જરૂરી છે અને સવાર-સાંજ તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય ખરાબ પડછાયો આવતો નથી. ઘરમાં સમૃદ્ધિ બની રહે છે અને લોકોનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
આ મંત્રોથી કરો પૂજા
ॐ सुभद्राय नमः
ॐ सुप्रभाय नमः
मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।।
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
