સૂર્ય ગ્રહણ ડિસેમ્બર 2019: ગ્રહણના સમયે કરો આ કામ, તો નવું વર્ષ રહેશે શાનદાર
આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીશું, જેનાથી તમારુ આગામી વર્ષ સુખ સમૃદ્ધિ સાથે સફળતા લઈને આવશે.
વર્ષ 2019નું છેલ્લું ગ્રહણ ડિસેમ્બર મહિનાની 26 તારીખે છે. 26 ડિસેમ્બર, ગુરુવારે થનારા આ ગ્રહણમાં છ ગ્રહ સૂર્ય, ગુરુ, ચંદ્ર, શનિ, બુધની યુતિ ધન રાશિમાં થશે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીશું, જેનાથી તમારુ આગામી વર્ષ સુખ સમૃદ્ધિ સાથે સફળતા લઈને આવશે.

જપ અને ધ્યાન કરો
સૂર્ય ગ્રહણ દરમિયાન મંત્રનું જાપ કરવું અને ધ્યાન કરવું ઉત્તમ મનાય છે. આમ કરવાથી કુંડળીમાં ગ્રહ શાંત રહે છે. ગ્રહની શાંતિથી નવા વર્ષમાં તમને સકારાત્મક પરિણામ મળશે અને આવકમાં વધારો થવાના રસ્તા મળશે.

રાહુ-કેતુ અંગેના ઉપાય
જો તમારે નવા વર્ષને હાલના વર્ષ કરતા સારુ બનાવવું હોય તો તમારે સૂર્ય ગ્રહણ દરમિયાન રાહુ-કેતુ અંગેના ઉપાય કરવા જોઈએ. રાહુ-કેતુના શાંત રહેવાથી જીવનમાં બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકાય છે.

પવિત્ર જળથી સ્નાન
સૂર્ય ગ્રહણ દરમિયાન તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો સ્નાન કરવું શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને નાહી શકો છો. આ નવા ઉપાયથી નવા વર્ષે તમારું આરોગ્ય સારુ રહેશે અને સમાજમાં માન સન્માન વધશે.

દાન કરો
સૂર્ય ગ્રહણ બાદ દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. અન્ન, કપડા, ધન વગેરે દાન કરવાથી તમારી મુશ્કેલીઓ ઘટવા લાગે છે. આ ઉપાયથી નવા વર્ષે તમને ગ્રહોની પીડામાંથી મુક્ત થઈ શકો છો અને સાથે જ તમને પ્રમોશન તેમજ ઉંચા પદની પાર્પિત થવાની શક્યતા રહે છે.

ઈષ્ટ દેવના મંત્રોનો જાપ
સૂર્ય ગ્રહણના કારણે થનારા અનિષ્ટથી બચવું હોય તો ઈષ્ટ દેવના મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી ઈષ્ટ દેવના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખૂલે છે.

પીપળાના ઝાડની પૂજા કરો
જો તમારા ઘરની આસપાસ પીપળાનું વૃક્ષ હોય તો સૂર્ય ગ્રહણ બાદ તેને જળ અર્પણ કરો અને તેની સેવા કરો. તેનાથી નવા વર્ષે તમારા જીવનમાં નકારાત્મકતા નહીં આવે. ઘર અને પરિવારમાં એક્તા રહેશે. દરેક મુશ્કેલીમાં જીવનસાથીનો સહયોગ અને સાથ મળશે.

શનિવદેવને કરો પ્રસન્ન
શનિદેવને પ્રસન્ન કરવા હોય તો ગરીબ અને નિસહાય લોકોની મદદ કરો. સૂર્ય ગ્રહણ બાદ જરૂરિયાત મંદ લોકોની મદદ કરે, તેનાથી તમને શનિદેવના આશીર્વાદ મળશે. શનિદેવની કૃપાથી નવા વર્ષે તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
