25 ઓક્ટોબરે છે સુર્યગ્રહણ, શું દિવાળીની પુજા પર પડશે અસર?, ક્યારે લાગશે સુતક કાળ?
વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે આંશિક ગ્રહણ છે, આ ગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને ભારત સહિત એશિયાના અન્ય પ્રદેશોમાં જોવા મળશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક ધર્મમાં
વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે આંશિક ગ્રહણ છે, આ ગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને ભારત સહિત એશિયાના અન્ય પ્રદેશોમાં જોવા મળશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક ધર્મમાં તેને સારું માનવામાં આવતું નથી અને આ કારણોસર ગ્રહણ દરમિયાન ન તો પૂજા કરવામાં આવે છેકે ન તો શુભ કાર્યો કરવામાં આવે છે. સૂતકનો સમયગાળો પણ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે, તેથી દીપાવલીની પૂજાને લઈને લોકોના મનમાં દુવિધા પ્રવર્તી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે 25 ઓક્ટોબરે ગ્રહણ સાંજે 4:40થી 5:24 દરમિયાન થશે. ગ્રહણનો સુતક સમયગાળો 24 ઓક્ટોબરની રાત્રે 11:28 વાગ્યાથી શરૂ થશે, તેથી આ ગ્રહણની દિવાળીની પૂજા પર કોઈ અસર નહીં થાય.

દિવાળીના બીજા દિવસે પારેવા અને ગોવર્ધન પૂજા થાય છે. પરેવામાં શુભ કાર્ય કરવામાં આવતું નથી, તેથી તેના પર આ ગ્રહણની કોઈ અસર નહીં થાય, પરંતુ ગ્રહણને કારણે ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરે નહીં પરંતુ 26 ઓક્ટોબરે થશે. આ ગ્રહણનો મોક્ષ 25 ઓક્ટોબરે સાંજે 5.24 કલાકે થશે.

'સુર્યગ્રહણ' કોને કહેવાય છે?
સુર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે, ત્યારે સૂર્યનો પડછાયો પૃથ્વી સુધી પહોંચતો નથી અને અંધકાર હોય છે, તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી, ત્યારે સૂર્યનો આકાર અર્ધચંદ્રાકારના રૂપમાં બની જાય છે, તો આ સ્થિતિને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ ફક્ત અમાવાસના દિવસે થાય છે.

ક્યાં ક્યાં દેખાશે સુર્યગ્રહણ
સુર્યગ્રહણ ભારત, યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને એશિયામાં દેખાશે. ભારતમાં આ અગરતલા, અમદાવાદ, અજમેર, પ્રયાગરાજ, અમૃતસર, બેંગ્લોર, ભાગલપુર, ભોપાલ, ભુવનેશ્વર, કોઈમ્બતુર, ચંદીગઢ, ચેન્નાઈ, કોચી, કટક, દાર્જિલિંગ, દેહરાદૂન, દિલ્હી, ગાંધીનગર, ગુવાહાટી, ગયા, હરિદ્વાર, હજારીબાગ, હુબલી હૈદરાબાદ, જયપુર, જલંધન, જયપુર, કન્યાકુમારી, કોલકાતા, કોલ્હાપુર, લખનૌ, મદુરાઈ, મેંગલોરમાં જોઇ શકાશે.

નરી આંખે ના જુઓ સુર્યગ્રહણ
સૂર્યગ્રહણને નરી આંખે ન જોવું જોઈએ કારણ કે આ દરમિયાન નીકળતા હાનિકારક કિરણો આંખોને નુકસાન પહોંચાડે છે. હંમેશા એલ્યુમિનિયમ માઇલર, બ્લેક પોલિમર અથવા 14 નંબર શેડ ગ્લાસ મિરરનો ઉપયોગ કરવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
